SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ક એવી ઈચ્છા વિના જે આહાર ગ્રહણ કરાય છે તે આહારને અનાગનિર્વર્તિત આહાર કહે છે. અને તે અનાગનિવર્તિત આહારની અભિલાષા તેમને અવિલઅપણે નિરન્તર થતી રહે છે. નારક જીના આહારના પ્રકરણમાં જે પ્રમાણે તેમના આ આહારનું કથન કર્યું છે તે પ્રમાણે જ કથન બેઈન્દ્રિય જીવના આહારના વિષયમાં સમજવું. “હું આહાર કરૂં” આ પ્રકારની ઈચ્છાપૂર્વક જે આભેગનિવર્તિત આહાર લેવાય છે તે બેઈન્દ્રિય જીવે અસંખ્યાત સમયવાળા અન્તર્મુહૂર્તમાં લે છે. અને તે અન્તર્મુહૂર્ત પણ અહીં વિમાત્રારૂપે લેવાયું છે. કારણ કે અન્તર્મુહૂર્તની અસંખ્યાત સમયતાને લીધે તે અસંખ્યાત દવાળે હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બે ઇન્દ્રિય જીવોના આગનિવર્તિત આહારને કાળ અસંખ્યાત સમય કહ્યો છે. તે અસંખ્યાત સમય અવસર્પિણી આદિ રૂપ પણ હોઈ શકે છે. તેથી અસંખ્યાત સમયરૂપ અવસર્પિણી કાળ ગ્રહણ ન કરવાને માટે અહીં અસંખ્યાત સમયવાળે અન્તર્મુહૂર્તકાળ લેવામાં આવ્યું છે. અન્તર્મુહૂર્ત પણ અસંખ્યાત સમયનું હોય છે. તેથી તેમને તે આહાર કયા સમયે થાય છે તે પણ નક્કી થઈ શકતું નથી. તેથી તેને વિમાત્રા વાળ કહ્યો છે. વિમાત્રાની અપેક્ષાએ અસંખ્યાત સમયવાળા બે ઈન્દ્રિય જીવન આહાર બે પ્રકારને કહ્યો છે.-(૧) રેમાહાર (લેમાહાર) અને (૨) પ્રક્ષેપાહાર. જે આહાર કાલાદિમાં બહુમૂત્રતાથી જાણી શકાય છે તે આહારને લોમહાર કહે છે, તથા જે આહાર કેળિયા દ્વારા મુખમાં મૂકાય છે તે આહારને પ્રક્ષેપાહાર કહે છે. રોમ દ્વારા જે પુદ્ગલો વર્ષાદિ હતુઓમાં શરીરમાં પ્રવેશ પામે છે તેને માહાર કહે છે. રામ દ્વારા શરીરમાં પ્રવેશ થયેલાં પુદ્ગલોનું જ્ઞાન બહુમૂત્રતાથી થાય છે. જેમાહાર દ્વારા જે પુદ્ગલને બે ઇન્દ્રિય જીવો આહારરૂપે ગ્રહણ કરે છે તે પુદ્ગલો સંપૂર્ણ રીતે આહારમાં ઉપયુક્ત થઈ જાય છે તેમાંનું એક પણ પુદ્ગલ આહારમાં ઉપયુક્ત થતું ન હોય એવું બનતું નથી. બે ઈન્દ્રિય જીવો પ્રક્ષેપાહાર દ્વારા જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તે પુદ્ગલોમાં આ પ્રકારની વિશેષતા હોય છે–પ્રક્ષેપાહાર દ્વારા જે પુગલો આહારને માટે ગ્રહણ કરાય છે તે બધાં પુદ્ગલો બે ઇન્દ્રિય જીવોના આહારમાં ઉપયુક્ત થાય છે એવું બનતું નથી, પણ તે ગૃહીત પુદ્ગલોમાંના અસંખ્યાત પુદ્ગલો જ એવાં હોય છે કે જે આહારના કામમાં આવે છે બાકીના ગૃહીત પુદ્ગલોમાં એવાં કેટલાય હજાર ભાગ હોય છે કે જે રસનાઈન્દ્રિય દ્વારા સ્વાદના વિષયભૂત બનતાં નથી, અને સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ પણ પામતાં નથી. પણ તેઓ નષ્ટ થઈ જાય છે. અહીં નષ્ટ થઈ જવાનું તાત્પર્ય એવું છે કે જે પુગલોને કીન્દ્રિય જીવ પ્રક્ષેપાહાર દ્વારા ગ્રહણ કરે છે, તે ગૃહીત પુદ્ગલોના કેટલાય હજાર ભાગ આસ્વાદ કે સ્પર્શના વિષયભૂત બન્યા વિના જ સૂક્ષમ અને સ્કૂલ રૂપે કેટલાંક પુદ્ગલ) શરીરની બહાર અને કેટલાંક પુગલ શરીરની અંદર જ નાશ પામે છે. હવે એ પ્રશ્ન ઉભવે છે કે જે પુગલો સ્વાદ કે સ્પર્શના વિષયભૂત બનતાં નથી અને જેમને શરીરની બહાર કે અંદર નાશ થઈ જાય છે તે પુદગલોમાંના કયાં યુગલો કયાં યુગલોથી ઓછાં છે? કયાં પુદ્ગલો વધારે હોય છે? કયાં પુદ્ગલો સમાન છે? અને કયાં પગલે વિશેષાધિક છે? આ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૦૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy