SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે પ્રાણી જ આદિ મેલના સંગ્રહરૂપ બંધ બાંધે છે, તેવી રીતે જીવના કષાય ભાવે જ કર્મ બંધના કારણરૂપ હોય છે. જ્યારે જીવ રાગાદિ કષાયથી યુક્ત હોય છે ત્યારે તે કર્મનાં ચગ્ય પગલોનું ગ્રહણ સમસ્ત આત્મ પ્રદેશથી કરે છે. તે કર્મોના આગમનનું કારણ તેના મન, વચન અને કાયની ક્રિયારૂપ યેગ હોય છે. એજ વાત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવી છે. જે દેશમાં જીવ રહેલો હોય છે તે દેશગત કર્મને જ બંધ કરે છે. અન્ય દેશગત કર્મને નહીં, અને અયોગ્ય કર્મને પણ નહીં. જ્યાં સુધી જીવ રાગાદિ ભાવથી આવૃત્ત (યુક્ત) થતું નથી ત્યાં સુધી તે કર્મને બંધ બાંધતે નથી, અને મન, વચન અને કાય, એ ત્રણેના વેગથી જીવ રહિત હોય ત્યાં સુધી તે કર્મબંધ બાંધતું નથી. બંધ વિષેનું વક્તસ્ત્ર ઉપર પ્રમાણે છે. ગૌતમ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! નારક જીવ જીવપ્રદેશથી ચલિત કર્મની ઉદીરણું કરે છે કે અચલિત કર્મની ઉદીરણ કરે છે ? તે પ્રશ્નના જવાબમાં મહાવીર સ્વામી કહે છે કે હે ગૌતમ! નારક જીવ જીવપ્રદેશથી અચલિત કર્મની જ ઉદીરણું કરે છે, ચલિત કમની નહીં. એજ પ્રમાણે તેઓ અચલિત કર્મનું જ વેદન કરે છે (અનુભવ કરે છે), ચલિત કર્મનું નહીં. તેઓ અચલિત કર્મનું જ અપવર્તન કરે છે, ચલિત કર્મનું નહીં. એટલે કે તેઓ અધ્યવસાય વિશેષ દ્વારા તેમની સ્થિતિ આદિમાં હીનતા (ન્યૂનતા) લાવી દે છે. અપવર્તન એટલે અધ્યવસાય વિશેષ દ્વારા સ્થિતિ આદિને ઓછી કરી નાખવી. મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી ઉત્તર પ્રકૃતિને પરસ્પરમાં બદલી નાખવી તેનું નામ સંક્રમણ છે. જુદાં જુદાં કર્મ પુદ્ગલોને એક બીજાની સાથે એકત્રિત કરીને ધારણ કરવા તેનું નામ “નિધત્ત છે. નિધત્ત અને ઉદ્વર્તન. અપવર્તનાકરણ સિવાયના બીજાં કરણના વિષયભૂત થતાં નથી. પર સ્પર વિલિષ્ટ કર્મ પુદ્ગલોનું જ જે કરણમાં એકમેક થઈ જવાનું બને છે તે કરણને નિકાચિતકરણ કહે છે એટલે કે જે કરણમાં કર્મ પુદગલ અંદરો અંદર એક બીજાની અંદર અવગાહી થઈ જાય છે તે કરણનું નામ નિકાચિતકરણ છે જેવી રીતે સોના સમૂહને અગ્નિમાં તપાવીને હડી વડે ટીપવાથી બધી સે એક બીજાની સાથે મળી જાય છે તેવી રીતે નિકાચિતકરણ દ્વારા પણ કપુલ સમસ્ત કણોના અવિષયભૂત બનીને અરસ્પરસ એકત્રિત થઈને રહે છે. આ બધાંમાં અચલિત કમને જ ગ્રહણ કરવાનું છે, ચલિતને નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારક છે જીવપ્રદેશોથી અચલિત કર્મોનું જ વેદન, અપવર્તન આદિ કરે છે, ચલિત કર્મોનું વેદન આદિ કરતા નથી. નિર્જરાના વિષયમાં ગૌતમ સ્વામીએ જે પ્રશ્ન પૂછે છે તે પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું છે કે નારક છે જીવપ્રદેશોથી ચલિત કર્મની જ નિર્જરા કરે છે, અચલિત કર્મોની નિર્જરા કરતા નથી. રસ રહિત પુગલોની આત્મ પ્રદેશોમાંથી અવસાતને થવી તેનું નામ નિર્જરા છે. તે નિર્જરા આત્મપ્રદેશથી ચલિત કર્મ પુદગલની જ થાય છે, અચલિત કર્મ પુદ્ગલની થતી નથી. બંધ આદિ આઠેમાં–‘બંધથી શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy