________________
છે, કૃષ્ણાદિ વર્ણરૂપે નહીં. શંકા-કાળ અને સમયમાં જે સમાનરૂપે એકાWતા રહેલી છે તે એક દ્વારા જ અન્યને બંધ થઈ જાય છે, પદાન્તર રાખવાની શી આવશ્યકતા છે?
ઉત્તર–એવી શંકા અસ્થાને છે, કારણ કે કાળ અને સમયમાં એકાર્થકતા–સમાનાર્થકતા નથી, પણ ભિન્નાર્થક્તા છે. તેથી એકથી બીજાના અર્થની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેથી સમય અને કાળ, એ બને પદે અહીં મૂક્યાં છે. તે બને પદે જ પિત પિતાના વાચ્યાર્થ (કહેવાયેગ્ય અર્થ)નું પ્રતિપાદન કરાવે છે, તેથી તેઓ નિરર્થક નથી પણ સાર્થક જ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્નોને ઉત્તર દેતાં ભગવાન કહે છે કે હે ગૌતમ! નારક છે જે પુદ્ગલોને તેજસ અને કાર્મણ શરીર રૂપે ગ્રહણ કરે છે તે ભૂતકાળના સમયમાં કે ભવિષ્યકાળના સમયમાં ગ્રહણ કરતા નથી. કારણ કે તે બને કાળ અને સમય વિષયાતીત હોય છે. તેથી અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય) કાળવિષયક પુદગલોને ગ્રહણ કરવાનો નિષેધ કરાયો છે. તે બને-કાળ અને સમય–ને વિષયાતીત દર્શાવવાનું કારણ એ છે કે અતીતકાળ સમયે તે તેઓ વિનષ્ટ થઈ ચક્યા હોય છે અને ભવિષ્યકાળ સમયે તેઓ અનુત્પન્ન હોવાને કારણે તે સમયે તેમને સદભાવ હોતા નથી વર્તમાન કાળ અને સમયમાં પણ તેઓ એ પુદ્ગલોને જ ગ્રહણ કરે છે કે જે સંમુખ આવેલાં હોય છે-સંમુખ ન હોય એવાં પુદગલોને નહીં. ઉદીરણાવિષયક પ્રશ્નમાં પણ એજ સમજવાનું છે કે નારક જીવ પૂર્વે તેજસ કાર્મણરૂપે ગ્રહણ કરેલાં પુદ્ગલોની જ ઉદીરણ કરે છે, પણ વર્તમાન. કાળ અને સમયે ગ્રહણ કરવામાં આવતાં કે ભવિષ્યમાં ગ્રહણ કરાનારાં પુદગલોની ઉદીરણા કરતા નથી, કારણ કે પૂર્વકાળમાં ગ્રહણ કરેલાં પુદ્ગલોની જ ઉદીરણ થાય છે. જેમને ગ્રહણ સમય વર્તમાન સમયથી પછીનો સમય હોય છે તે પુદગલો “ જળસમચ,ઝલછે. એટલે કે જે પુદ્ગલ ભવિષ્યકાળના સમયમાં ગ્રહણ થવાના છે તેઓ “જાણકાનવ શબ્દના વાચ્યા છે. તેમની અને વર્તમાનકાળમાં ગ્રહણ થઈ રહેલાં પુદ્ગલોની ઉદીરણા થતી નથી. જે પુદ્ગલો વર્તમાનકાળે ગ્રહણ કરાઈ રહ્યાં છે અને ભવિષ્યકાળે જેમને ગ્રહણ કરવાનાં છે, તેઓ અગ્રહીત હોવાને કારણે ઉદીરણાને યોગ્ય હોતાં નથી, કારણ કે તે સમયે તેમને સદ્ભાવ હોતો નથી. ઉદીરણું સૂત્રની જેમ જ વેદના અને નિજ રણ સૂત્રની વ્યાખ્યા પણ સમજવાની છે. સૂ. ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧