SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ શરીર એવાં નથી. વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ પ્રકારના ક્રિયા જે શરી રમાં થાય છે તે શરીરને વૈવિય શરીર કહે છે. તે શરીર કયારેક એકરૂપ હેવા છતાં અનેકરૂપ થઇ શકે છે, અને કયારેક અનેકરૂપ હાવા છતાં એકરૂપ થઈ શકે છે. નાનુ હાય તે મેટુ થઇ શકે છે અને મેટામાંથી નાનું પણ થઈ શકે છે. ખેચરમાંથી ભૂચર અને ભૂચરમાંથી ખેચર પણ થઈ શકે છે. દૃશ્યમાંથી અદૃશ્ય અને અદૃશ્યમાંથી દૃશ્ય ખની શકે છે. તેના બે પ્રકાર છે. (૧) ઔષપાતિક અને (૨) લબ્ધિપ્રત્યય. જે શરીરનું ઉપપાત જન્મથી નિર્માણ થાય છે તેને ઔપપાતિક વૈક્રિય કહે છે, એવાં શરીર દેવા અને નારકીઓને હાય છે. વૈક્રિયલધિને કારણે જે વૈક્રિય શરીર થાય છે તે તિર્યંચ અને મનુષ્યેાને હાય છે જે શરીર ફકત ચૌદપૂર્વી મુનિના દ્વારા તે પ્રકારનું પ્રયાજન આવી પડતાં આહારકલબ્ધિથી બનાવાય છે તે શરીરને આહારક શરીર કહે છે. અથવા તીથંકર આદિની પાસે જે શરીર દ્વારા જીવાદિકપદાય નિણી તકરાય છે તેને આહારક શરીર કહે છે. જરૂર પડતા વિશિષ્ટલબ્ધિના પ્રભાવથી શ્રુતકેવલી જે શરીરની રચના કરે છે તેને આહારક શરીર કહે છે શા પ્રાણીઓની દયા, ઋદ્ધિદર્શન, સૂક્ષ્મતત્ત્વપૃચ્છા, અને સંશય આદિનુ નિવારણ, એ કાયાઁ ઉપસ્થિત થતાં ચૌદપૂર્વ ધારી આ શરીરનું (આહારક શરીરનું) નિર્માણ કરીને જિનપાદમૂળમાં ગમન કરે છે. તેનું તાત્પ આ પ્રમાણે છે-પ્રાણિ દયા આદિરૂપ વિશિષ્ટકા ને માટે ચૌદપૂ`ધારી શ્રુતકેવલીમુનિ પેાતાના શરીરમાંથી શુભતર, શુકલ અને વિશુદ્ધ હસ્તપ્રમાણ શરીરને બહાર કાઢે છે. તે શરીર જયાં ભગવાન વિરાજતા હોય ત્યાં જાય છે. તે વખતે તે શરીર જયાં પહોંચે ત્યાં ભગ વાત્ત વિરાજમાન ન હોય એ સ્થાનને બદલે બીજી કોઈ જગ્યાએ હાય-તા તેશરીર પેતાનામાંથી એક ત્નિપ્રમાણ (મુંડ હાથ પ્રમાણ) બીજા હાથની રચના કરે છે અને તે રદ્ઘિપ્રમાણ શરીર ભગવાનની પાસે પહેાચે છે. ત્યાં પેાતાનુ` કા` પૂરૂ કરીને તે શરીર પાછું ફરે છે અને પહેલાના હસ્તપ્રમાણ શરીરમાં સમાઇ જાય છે. તે હસ્તપ્રમાણ શરીર ત્યાંથી પાછુ ફરીને આહારક શરીર ધારી શ્રુત કૈવલીના શરીરમાં સમાઈ જાય છે ત્યારે શ્રુતકેવલી પેાતાના કાને સિદ્ધ કરી લે છે. આ આહારક શરીરને વિરહ જઘન્યની અપેક્ષાએ એક સમયના અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસ સુધીને હાય છે. ચૌદ પૂર્વ ધારી મુનિ આહારક શરીરની લબ્ધિના ઉપયાગ વધારેમાં વધારે ચાર વખત કરીને મેાક્ષને પ્રાપ્ત કરે છે. તે આહારક શરીશ્તુ જે આહારકલબ્ધિથી નિર્માણ થાય છે તે લબ્ધિ સમસ્ત ચૌદપૂર્વ ધાદીઓમાં હોતી નથી પણ કાઇકાઇમાં શ્રી સમવાયાંગ સૂત્ર ૪૧૩
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy