SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નવ હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ હવે સૂત્રકાર નવ હજાર ૯૦૦૦)નાં સમવાયે કહે છે–“મિરા ? ત્યારા ટીકાઈ –દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રની જીવા-ધનુષની પ્રત્યંચાના જેવી હેવાથી સરલપંકિત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને એટલી બધી લાંબી છે કે તે પૂર્વ અને પશ્ચિમમાં લવણસમુદ્રને સ્પર્શે છે. તેથી તેની લંબાઈ નવ હજાર (૯૦૦૦) યોજનની છે. અજિતનાથ ભગવાનના અવધિજ્ઞાનધારી સાધુઓ નવ હજાર (૯૦૦૦) થી પણ વધારે હતા. સૂ. ૧૬૧ દશ હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ. હવે સૂત્રકાર દસ હજાર (૧૦૦૦૦)નાં સમવાયો બતાવે છે– Ni va ત્યારા ટીકાથ-મંદર પર્વતનો ધરણિતળમાં-નીચે ભૂભાગમાં-દસ હજાર યોજનને વિસ્તાર છે. તેનું તાત્પર્ય એ છે કે મેરુ પર્વતને જે હજાર યોજન પ્રમાણ ભાગ જમીનની અદર છે તેની લંબાઈ દસ હજાર યોજનની છે. માસૂ. ૧૬રા એક લાખ સંખ્યા વિશિષ્ટ ઔર દો લાખ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ હવે સૂત્રકાર એક લાખ (૧૦૦૦૦૦)નાં સમવાયો બતાવે છે-કંજૂરી इत्यादि । ટીકાથ–જબૂદ્વીપને વિસ્તાર એક લાખ યોજન છે. સૂ. ૧૬૩ હવે સૂત્રકાર બે લાખનાં સમવાયો કહે છે.--“વોઇ સગુ જ્યારા ટીકાથે –લવણસમુદ્ર ચક્રવાલ વિષ્કભની અપેક્ષાઓ–ગળ ચડીના આકારની અપેક્ષાએ બે લાખ યોજનાના વિસ્તારવાળે છે. જંબુદ્વીપને આકાર તે થાળીના જે ગોળ છે. અને બાકીના દ્વીપ સમુદ્રોની આકૃતિ ગોળ ચૂડીના જેવી છે. એ વાત ચક્રવાલ પદથી દર્શાવવામાં આવેલ છે. સૂ. ૧૬૪ શ્રી સમવાયાંગ સૂત્ર ૨૫૧
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy