SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ગરમીથી ગમે તેટલું કષ્ટ પડે છતાં પણ તેના નિવારણ માટે અક૯ય સાધન ઉપયોગમાં ન લેવી અને સમભાવ પૂર્વક તેનાથી થતી વેદના સહન કરવી તેને ઉષ્ણ પરીષહ કહે છે. (૫) ડાંસ, મરછર આદિ જતુઓને ઉપદ્રવ થતાં તેના નિવારણ માટે સાધનને ઉપયોગ ન કરવો અને તેમના વડે કરાતી વેદનાને સમભાવ પૂર્વક સહન કરવી તેને દંશમશક પરીષહ કહે છે. દંશમશક એ ચૌઈન્દ્રિય જીવ છે. ઉપલક્ષણથી જૂ, માંકડ. મકડા માખી આદિ પણ ગ્રહણ થયેલ છે. (૬) અચલ એટલે વસ્ત્રને અભાવ અથવા અ૯પવસ્ત્રતા. તેમાં જિનકલ્પિ સાધુઓને માટે વસ્ત્રાભાવ અલનું વિધાન છે. પણ જે વિકલ્પી સાધુ છે તેમની અપેક્ષાએ અપમૂલ્ય વાળા. પ્રમાણોપેત એવાં જીરું અપૂર્વ મલિન વસ્ત્રરૂપ અ૫વસતા પણ અચેલ છે. આ અચૂલ પર હને લજજા દીનતા તથા કોઈ આકાંક્ષા વિના સહન કરે તેને અલ પરીષહ કહે છે. (૭) અંગીકાર કરેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને કારણે અરુચિ થવાને પ્રસંગ આવે ત્યારે અરુચિ લાવ્યા વિના ધિર્યથી અરતિને સહન કરવી તે “અરતિપરીષહ” છે. (૮) સાધુને સ્ત્રી સંબંધી જે પરીષહ સહન કરવું પડે છે તેને “સ્ત્રી પરીષહ કહે છે. (૯) ગ્રામાદિકમાં અનિયત (પ્રતિબન્ધ) વિહાર કરવામાં જે કષ્ટ પડે તેને “ચર્યાપરીષહ કહે છે. (૧૦) પ્રોજન વિના ગમન આદિ ન કરવું, અને એક જ સ્થાને બેસી રહેવું તે નિષદ્યા પરીષહ કહેવાય છે (૧૧) કઠણું કે પોચી, ઊંચી કે નીચી જેવી વસતિ અથવા શા મળે તેમાં સમભાવ પૂર્વક શયન કરવું તે શય્યા “પરીષહ છે. (૧૨) કેઈ પાસે આવીને કાર અથવા અપ્રિય વચન કહે, તે પણ તેને સત્કાર જ સમજ તેનું નામ આક્રોશપરીષહ છે. (૧૩) કોઈ લાકડી, મુઠી, આદિથી માર મારે તે પણ તેને સહન કરો તે “વધ પરીષહ” કહેવાય છે. (૧૪) યાચનાને સહન કરવી તેને યાચનાપરીષહે કહે છે. (૧૫) યાચના કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુ ન મળે તે પ્રાપ્તિને બદલે શ્રી સમવાયાંગ સૂત્ર ૧૧૭
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy