SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રાપ્તિને જ સાચુ તપ માનીને તેમાં સંતોષ માનવે, તે અલાભપરીષહ કહે છે. (૧૬) રોગ આદિ થતાં વ્યાકુળ ન થતાં તેને સમભાવ પૂર્વક સહન કરે તે રોગપરીષહ છે. (૧૭) સંસ્તારકને અભાવે તૃણે ઉપર શયન કરવું, અને એ રીતે જે કષ્ટ સહન કરવું પડે છે તેને તૃણસ્પર્શ પરીષહ કહે છે. શરીર ઉપર ભલે ગમે તેટલે મેલ લાગ્યો હોય તો પણ તેમાં દુઃખ ન માનવું અને મેલને કારણે ઉત્પન થતાં પરીષહોને સારી રીતે સહન કરવા તેને “નડ્ડારીપદ કહે છે. (૧૯) ગમે તેટલે સત્કાર મળે છતાં પણ તેમાં ફૂલાવું નહીં અને ન મળે તે ખિન્ન ન થવું, તેને “સત્કારપુરસ્કાર પરીષહ કહે છે. એટલે કે બન્ને પ્રકારની પરિસ્થિતિમાં સમ. ભાવ રાખવો તેનું નામ “સત્કાર પુરસ્કાર પરીષહ છે. (૨૦) પ્રતિભાશાળી બુદ્ધિ હોવા છતાં પણ ગર્વ ન કરે અને ન હોય તે દીનતા ન બતાવવી તેનું નામ પ્રજ્ઞાપરીષહ” છે. (૨૧) શ્રતનો અભ્યાસ કરવા છતાં પણ અત્યાદિ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થતા દીનતા બતાવવી નહીં, તેનું નામ “અજ્ઞાનપરીષહ છે. (૨૨) સૂક્ષમ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થતાં સ્વીકાર કરેલ ત્યાગ નિષ્ફળ લાગે ત્યારે વિવેકથી શ્રદ્ધા કાયમ રાખવી અને એવી સ્થિતિમાં પ્રસન્ન રહેવું તે દર્શનપરીષહ. અહીં સૂત્રમાં જે દર્શન પરીષહ કહ્યો છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે – સંશય ઉત્પન્ન થતાં અથવા પરધર્મના આડંબરને જોઈને સમગ્ગદર્શનને નિશ્ચલચિત્તથી ધારણ કરવું ચાલુ રાખવું-એટલે કે આલેક સંબંધી અને પરલેક સંબધી ફળની પ્રાપ્તિ ન થતાં, માનસિક વિકાર ન દેવે તેનું નામ “દર્શનપરીષહ છે. “દષ્ટિા નામનું જે બાર અંગ છે તેના પરિકમ, સૂત્ર પૂર્વગત, પ્રથમાનુયોગ અને ચૂલિકા એ પાંચ પ્રસ્થાન છે. તેમાં જ બીજા પ્રસ્થાન રૂપ સૂત્ર છે, તેમાં દ્રવ્ય પર્યાય આદિ તત્તદર્થ (તે તે અર્થ)ની સૂચનાવાળા હોવાથી ૨૨ બાવીસ સૂત્ર જિનમતાશ્રિત સૂત્ર શ્રી સમવાયાંગ સૂત્ર ૧૧૮
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy