SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આગલા સૂત્રમાં દેવલેકના વિમાનની વાત કરી કેટલાક વાદી એવા જ્ઞાની હોય છે કે દેવલેકના વિમાનમાં રહેતા દેવે પણ તેમને પરાજિત કરી શકતા નથી. તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનરૂપે એવાં વાદીઓનું નિરૂપણ કરે છે “અહો i ગરિ ગેનિસ” ઈત્યાદિ – ટીકાથે–અર્વત અરિષ્ટનેમીની ઉત્કૃષ્ટ વાદિસંપત્તિ ૮૦૦ ની હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે અહંત અરિષ્ટનેમિના ૮૦૦ શિષ્યો એટલા બધાં જ્ઞાની અને વાદવિવાદમાં નિપુણ હતા કે દેવે અને મનુષ્યની પરિષદમાંથી કોઈ પણ દેવ કે મનુષ્ય તેમને વાદમાં પરાજિત કરી શકવાને સમર્થ ન હતા સૂ ૬૪ આઠ પ્રકારને સામાયિક ઔર કેવલી સમુઘાતકા નિરૂપણ ભગવાન અહંત અરિષ્ટનેમિના આ શિષ્યસમુદાયમાં કઈ કઈ એવાં શિષ્ય પણ હતાં કે જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોની સ્થિતિને આયુકર્મની સ્થિતિની બરાબર કરવા માટે કેવલિસમુદુઘાત કર્યો હતો. તેથી હવે સૂત્રકાર એજ કેવલિસ મુદ્દઘાતનું આઠ સ્થાન રૂપે નિરૂપણ કરે છે – મરૂ ઝિલવા પum” ઈત્યાદિ– ટીકાઈ_જેમને અતિમહત્ત બાદ પરમપદની પ્રાપ્તિ થવાની છે. એવા કેવળજ્ઞાનીને કેવલી કહે છે. તે કેવલીને જે સમુદુઘાત છે તેને કેવલિયમદુઘાત કહે છે. કમની નિર્જરા માટેના વ્યાપાર વિશેષ રૂપ આ સમુદુઘાત હોય છે. તે કેવલિ. સમુદુઘ ત આઠ સમયની સ્થિતિવાળો કહ્યો છે. કેવલિસમુદ્રઘાતના પ્રથમ સમયમાં કેવલી આત્મપ્રદેશને દંડરૂપ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે– સમુદ્રઘાત કિયામાં પ્રવૃત થયેલા કેવલી અન્તર્મુહૂર્ત પ્રમાણ આવઈકરણ કરે છે. ઉદીરણાલિકામાં કર્મનો પ્રક્ષેપ કરવાના વ્યાપાર રૂપ આ આવાજીકરણ હોય છે ત્યાર બાદ તેઓ સમુદ્ધાત કરે છે. પ્રથમ સમયમાં કેવલી જીવ પ્રદેશ સંઘાતને જ્ઞાનાગ વડે દંડના જે કરે છે. તે દંડ પોતાના શરીર જે પહેલો હોય છે અને ઉપરથી નીચે સુધી ( શિરથી પગ સુધી) લાંબે હોય છે. અને બન્ને તરફથી લોકાન્તગામી હોય છે. બીજા સમયમાં તેઓ એજ દંડને પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાવીને લેકાન્તગામી કમાડના જ કરે છે. ત્રીજા સમયમાં તેઓ એજ કમાડને દક્ષિણ અને ઉત્તર દિશામાં ફેલાવીને લોકાતગામી મળ્યાન (વલેણ)ના જે કરે છે. આ મળ્યાન દંડ કરવાના સમયમાં જ લેક ઘણે ખરે અંશે તે પરિત થઈ જાય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૭૬
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy