SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ - છન્દના-સંભવી શકે છે. પરંતુ અગૃહીત આહારાદિના વિષયમાં નિમંત્રણાને સદૂભાવ રહે છે. તેથી છન્દનાનું કથન કર્યા બાદ નિમંત્રણાનું કથન કરવામાં આવ્યું છે-ઈચ્છાકારથી લઈને નિમંત્રણ પર્યન્તની સામાચારી ગુરુની સમીપતા વિના જાણી શકાતી નથી, તે કારણે સૌથી છેલ્લે ઉપસપત્નું કથન કરવામાં આવ્યું છે. તે સૂ૫૪ છે મહાવીર ભગવાનકે દશ મહાસ્વપ્નોંકા નિરૂપણ આગલા સૂત્રમાં સાધુસામાચારીની પ્રરૂપણ કરવામાં આવી છે. તે સાધુ સામાચારીના પ્રરૂપક મહાવીર પ્રભુ હતા. તેથી સૂત્રકાર તે મહાવીર પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પૂર્વ જે ૧૦ સ્વો આવ્યાં હતાં તે પ્રકટ કરે છે – સમને મળવું મહાવીરે ઉમરથઢિયા” ઇત્યાદિ-(સૂ. ૫૫) ટીકાથ–પિતાની છદ્મસ્થાવસ્થાની છેલી રાત્રીના છેલ્લા પ્રહરમાં શ્રમણ ભગવાન મહાવીરે આ દસ મહાસ્વપ્રો જોયાં હતાં અને તે સ્વપ્રો દેખીને તેઓ પ્રતિબદ્ધ થયા હતા –પહેલા સ્વમામાં તેમણે એક બહુ જ વિશાળ કાય, તાડના જે ઊંચે અને ક્રોધથી લાલપીળા થઈ રહેલે–અથવા અભિમાનથી ભરેલ-પિશાચ છે અને તેમણે તે પિશાચને પિતાના બળથી પરાસ્ત ( પરાજિત) થતો જે. બીજા મહાસ્વપ્નમાં તેમણે સફેદ વર્ણની બને પાંખોવાળે નરકોયલ દેખે ત્રીજા સ્વપ્નમાં તેમણે એક એવા નરજાતિના કોયલને છે કે જેની અને પાંખે વિવિધ વર્ષોથી યુક્ત હતી. ચેથા મહાસ્વપ્નમાં તેમણે બે સુંદર માળાઓ દેખી. (૫) પાંચમાં મહાસ્વપ્નમાં તેમણે એક સફેદ રંગની ગાયોનું ધણ જોયું (૬) છઠા મહાસ્વપ્નમાં તેમણે દિશાઓ અને વિદિશાઓમાં વિકસિત કમળાથી યુક્ત એવું પઘસરોવર દેખ્યું. (૭) સાતમાં મહાસ્વપ્નમાં તેમણે એક વિશાળ સમુદ્ર છે કે જે ઉમિએ (વિશાળ મોજાએ) અને વીચિઓ (મંદમંદ તરંગે)થી યુક્ત હતો. (૮) આઠમાં મહાવનમાં તેજથી જાજવલ્યમાન સૂર્યને જે. (૯) નવમાં મહાસ્વપ્નમાં તેમણે માનુષેત્તર પર્વત છે. તે માનુષોત્તર પર્વત પિંગલ વર્ણવાળા મણિની અને નીલવર્ણવાળા વૈડૂર્યમણિની કાનિત જેવી કાન્તિવાળા પિતાના આંતરડા વડે વેષ્ટિત અને પરિવેષ્ટિત (વારંવાર વીટળાતે) થઈ રહ્યો હતે. (૧૦) દસમાં મહાસ્વપ્નમાં તેમણે પોતાને સૌથી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠેલાં જોયાં. આ પ્રકારના આ દસ મહાસ્વપ્નોને દેખીને તેઓ પ્રતિબુદ્ધ થઈ ગયા. એ સૂ. પપ . શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨૩ ૩
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy