SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ કે ભેદોકા નિરૂપણ રવિET T Form” ઈત્યાદિ–(સૂ. ૫૦) ટીકાઈ-ગતિના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે-(૧) નરકગતિ, (૨) નરકવિગ્રહ ગતિ, (૩) તિયગતિ, (૪) તિર્યશ્વિગ્રહગતિ, એજ પ્રમાણે મનુષ્ય ગતિથી લઈને © સિદ્ધિગતિ અને (૧૦) સિદ્ધિવિગ્રહગતિ પર્યાના પ્રકારો સમજવા. ગમન અથવા પર્યાય વિશેષનું નામ ગતિ આદિ ૧૦ પ્રકાર છે. હવે તે પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– નરકગતિ–નારકોની જે ગતિ છે તેને નિયગતિ અથવા નરકગતિ કહે છે, કારણ કે આ ગતિ નારકે દ્વારા પ્રાપ્ત કરાય છે અથવા નરકગતિ નામકર્મના ઉદયથી જન્ય જે નારક રૂપ પર્યાય છે તેનું નામ નિરયગતિ છે. નિરવિગ્રહગતિ-નારકેની ક્ષેત્ર વિભાગના અતિક્રમણપૂર્વક જે ગતિ (ગમન ક્રિયા) છે, તેનું નામ નિરપવિગ્રહગતિ છે. અથવા-નારકોની જે વિહાયોગતિ કર્મજન્ય સ્થિતિ નિવૃત્તિરૂપ ઋજુગતિ અથવા વકગતિ છે તેને નિરવિગ્રહ ગતિ કહે છે. એ જ પ્રમાણે તિર્યગતિ અને તિર્યંગવિગ્રગતિના વિષયમાં પણ સમજવું. સૂત્રમાંના “યાવતુ” પદથી અહીં (૫) મનુજગતિ, (૬) મનુજવિગ્રહ ગતિ, (૭) દેવગતિ અને (૮) દેવવિગ્રહગતિ, આ ચાર ગતિએને ગ્રહણ કરવામાં આવી છે. નરકગતિ અને નરકવિગ્રહગતિના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન મનુજગતિ આદિના વિષયમાં પણ સમજી લેવું. જે ગતિમાં જીવ કૃતકૃત્ય થઈ જાય છે તે ગતિનું નામ સિદ્ધગતિ છે. કર્મોને સંપૂર્ણ રૂપે ક્ષય કરીને થયેલા ઇવેનું જ સિદ્ધગતિમાં ગમન થાય છે. આ સિદ્ધગતિ લેકના અગ્રભાગરૂપ છે. તથા–આકાશવિભાગનું અતિક્રમણ કરીને લે કાન્તમાં જે તેમની ગતિ થાય છે તેનું નામ સિદ્ધિવિગ્રહગતિ છે વિગ્રહગતિ જે કે વકગતિરૂપ હોય છે, પરંતુ સિદ્ધજીમા વિગ્રહગતિ-મેડ ( વળાંકવાળી) ગતિ-હેતી નથી. તેથી તેના સાહચર્યથી નારકાદિકમાં પણ એવી ગતિને સદ્ભાવ કહ્યો નથી. અથવા પ્રથમ પદ દ્વારા કોઈ પણ જાતની વિશેષતા વિના જુગતિની વાત કરવામાં આવી છે અને બીજાં દ્વારા વક્રગતિની વાત કરવામાં આવી છે. આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે “સિદ્ધિતિ” આ પદ દ્વારા તે સામાન્યગતિની વાત કરવામાં આવી છે અને “દ્ધિવિરુઝ “સિદ્ધિવિગ્રહગતિ' આ પદ દ્વારા સિદ્ધવિગ્રહગતિની વાત કરવામાં આવી છે, કારણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨ ૨ ૩
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy