SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વસવિષયક પરિકર્મોપઘાત આ પ્રકારને સમજવો રિવિિરચાઇ વલ્થ” ઈત્યાદિ– આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સાધુ ઊર્ણાદિ (ઉનના બનવેલા આદિ) પાંચ પ્રકારના વસ્ત્રોમાંના કેઈ પણ પ્રકારના ફાટેલ અને ત્રણ કરતાં વધારે થિગડાં લગાવે છે, તે સાધુ આજ્ઞાદિની વિરાધના રૂપ દેષ કરે છે. પાનસંબંધી પરિકર્મોપઘાત આ પ્રકારને કહ્યો છે–“વરુan” ઈત્યાદિ જે પાત્ર અપગત થઈ ગયું હેય-અપગત થઈ જવાને કારણે એક બનયુક્ત હોય, એવાં પાત્રને ૫ માસ કરતાં અધિક સમય સુધી રાખે છે. તે તીર્થકરોની આજ્ઞાને વિરાધક ગણાય છે. સુલક્ષણ પાત્ર એક બનધનથી યુક્ત હોય તો ૧ માસ કરતાં અધિક સમય સુધી તેને ઉપયોગ કરનારા સાધુ આજ્ઞાવિરાધના આદિ દોષોને પાત્ર થતો નથી તથા સુલક્ષણ પાત્ર પણ જે બે અથવા ત્રણ બન્ધને કરતાં અધિક બન્જનવાળું હોય-ચાર આદિ બન્જનવાળું હોય, તો તેને ૧ માસ કરતાં અધિક સમય સુધી ઉપયોગ કરનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દેશોને પાત્ર બને છે, પરંતુ ચાર બન્ધને કરતાં ઓછાં બન્ધવાળા પાત્રને ૧ માસ કરતાં અધિક સમય સુધી ઉપયોગ કરનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દેશોને પાત્ર થતું નથી. વસતિ (નિવાસસ્થાન) સંબંધી પરિકપઘાત આ પ્રકારનો કહ્યો છે“દૂમિ મિત્ર વાણિઈત્યાદિ જે વસતિ (રહેઠાણ) સૂના આદિ વડે પેળીને સફેદ કરવામાં આવી હોય, ડાંસ, મચ્છર આદિ જીવોનો નાશ કરવાને માટે જેમાં ધુમાડે કરવામાં આવ્યું હોય, ધૂપ, ધૂપસળી આદિ સુગન્ધિદાર ચીજોને સળગાવીને જેને સુગ યુક્ત કરવામાં આવેલ હોય, દવે આદિ સળગાવીને જેને પ્રકાશિત કરવામાં આવેલ હેય, ભૂત આદિને ભાત, અડદ આદિ રાંધીને નૈવેદ્ય ધરાવવામાં આવેલ હોય, છાણ આદિ લીંપીને જે વસતિને સાફ કરવામાં આવી હોય જે વસતિમાં જળ છાંટીને ધૂળ માટી આદિને ઊડતાં અટકાવવામાં આવ્યાં હોય, પાવડા આદિ વડે જ્યાંથી કચરો સાફ કરવામાં આવ્યા હોય એવી વસતિ અથવા ઉપાશ્રય સાધુઓને માટે અકલ્પનીય ગણાય છે. એવા સ્થાનમાં ઉતરવાથી સાધુને વસતિસંબંધી પરિકર્મોપઘાતરૂપ અશુદ્ધિ લાગે છે. પરિહરણેપઘાત-પરિહરણ એટલે આસેવન. અકલ્પનીયઉપધિ આદિને ઉપયોગ કરવાને કારણે ચારિત્રમાં જે અશુદ્ધિ આવે છે તેનું નામ પરિહરણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૧૯૧
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy