SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્વાઘ્યાયકે સ્વરૂપકા નિરૂપણ “વિષે અંહિવિવર્ વળત્ત ” ઈત્યાદિ—(સૂ. ૧૪) અન્તરીક્ષિક ( અ કાશ સાથે સંબધ રાખનારાં) અસ્વાદાયિક ( સ્વાધ્યાય કરવાના નિષેધ હોય એવી ખાખતા દસ પ્રકારના કહ્યા છે, જેમ કે (૧) ઉલ્કાપાત (૨) દિગ્દાહ, (૩) ગર્જિત, (૪) વિદ્યુત, (૫) નિર્ભ્રાત, (૬) યૂપક, (૭) યક્ષાદીસ, (૮) ધૂમિકા, (૯) મિહિકા અને (૧૦) રજઉદ્ધાત. અન્તરીક્ષ એટલે આકાશ. આકાશમાં જે હાય છે તેને આન્તરીક્ષિક કહે છે. શીખેલા મૂલપાઠનું આવર્ત્તન (પુનરાવર્તન) કરવું તેનું નામ સ્વાધ્યાય છે. તે સ્વાધ્યાય જે કાળમાં થાય છે તે કાળને સ્વાધ્યાયિક કડું છે. જ્યારે તે સ્વા ધ્યાય કરી શકતા નથી તે કાળને અસ્વાધ્યાયિક કહે છે. આકાશ સાથે સખધ ધરાવતી નીચેની દસ પ્રકારની પરિસ્થિતિમાં સ્વાધ્યાય કરવાને નિષેધ ફરમાવ્યે છે, (૧) ઉલ્કાપાત-તારાનું પતન થવું તેનું નામ ઉલ્કાપાત છે. ઉલ્કાપાત થાય ત્યારથી એક પ્રહર સુધી સ્વાધ્યાય કરવા જોઈએ નહી. ભૂકમ્પના પણ આ કારણમાં જ સમાવેશ થઈ જાય છે. (૨) દિગ્દાહ-પૂર્વાદિ દિશાઓમાં જે છિન્નમૂલવાળુ' પ્રજ્વલન થાય છે તેને દિગ્દાહ કહે છે, કેટલીક વખત કોઈ મહાનગરને આગ લાગી હોય એવી રીતે ઉપર પ્રકાશ અને નીચે અંધકાર નજરે પડે છે, તેનુ નામ જ દિગ્દાહ છે. જ્યાં સુધી તે દિશામાં રતાશ દેખાતી ખંધ ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઇએ નહી. (૩) જિત-આ પદ મેઘગર્જનાનુ' વાચક છે. આ આર્દ્રા નક્ષત્રથી લઇને સ્વાતિ પન્તના દસ નક્ષત્ર સિવાયના નક્ષત્રામાં જ્યારે મેઘગર્જના સભળાય ત્યારે એક પ્રહર સુધી સ્વાધ્યાય કરવાના નિષેધ છે. વિદ્યુત-વિજળીના ચમકારા થાય ત્યારે પણ એક પ્રહર સુધી સ્વાધ્યાયના નિષેધ ફરમાવ્યા છે. નિર્ધાત-આકાશ વાદળાએથી ઘેરાયેલુ હોય કે ઘેરાયેલું ન હૈાય એવી સ્થિતિમાં આકાશમાં અન્તર દેવકૃત જે મઢાગર્જના જેવા અવાજ-કડાકા જેવા અવાજથાય છે તેનુ નામ નિર્ભ્રાત છે એવા કડાકા થાય ત્યારે પણ ચાર પ્રહર સુધીના, આઠ પ્રહર સુધીના અને ખાર પ્રહર સુધીના અસ્વાધ્યાય કાળ સમજવા, યૂપક-સંધ્યાના તેજનું અને ચન્દ્રના તેજતું જે મિશ્રણ હાય છે તેનું નામ ચૂપક છે. આ પ્રકારનું' ચૂપક શુકલપક્ષની પાવે, બીજ અને ત્રીજની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૧૫૦
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy