SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ આદિ પાંચ કારણેા અહીં ગ્રહણ કરવા જોઇએ. અતત્ત્વમાં તત્ત્વાધ્યવસાન રૂપ જે વિપરીત તત્ત્વમાં શ્રદ્ધા છે, તેનું નામ મિથ્યાત્વ છે. ૫.પક થી નિવૃત્ત ન થવુ' તેમાં પ્રવૃત્ત જ રહેવુ તેનુ નામ અવિરતિ છે, અનવધાનતાનું નામ પ્રમાદ છે. કરવા ચેગ્ય કાર્યોમાં પ્રવૃત્ત ન થવુ અને ન કરવા ચાગ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું તેનુ નામ જ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેાભરૂપ ચાર કષાય છે. મનોયાગ, વાગ્યેાગ અને કાયયેાગ રૂપ ત્રણ ચૈાગ છે. તેમના દ્વારા કર્મનું આગમન થાય છે. તેથી તેમને આસવદ્વાર રૂપ કહ્યા છે. આસવનો પ્રતિપક્ષી સંવર છે તે સવરના ઉપાય રૂપ જે પાંચ કારણેા છે તેમને સરદ્વાર કહે છે. માત્મા રૂપી જળાશયમાં પ્રવેશ થતાં ક રૂપ જલને જે સમિતિ, ગુપ્તિ વગેરે દ્વારા રોકવામાં આવે છે, તેનું નામ જ સવર્ છે. તેના સમ્યકત્વ આદિ જે પાંચ દ્વાર કહ્યાં છે, તે માસ્રપદ્વારા કરતાં વિપરીત હોય છે. આત્મા અથવા અન્ય જીવ જેમના દ્વારા પ્રણવ્યપરાણ આદિ રૂપ દંડને પ્રાપ્ત કરે છે, તેમને દંડ કહે છે. તે દંડના પણુ અર્થદડ અદિ પાંચ પ્રકાર કહ્યા છે. ત્રસ જીવેાનો, સ્થાવર જીવાનો પેાતાનો કે પરનો કેાઈ પ્રયેાજનને લીધે વધ કરવા તેનુ” નામ અછૂંદડ છે. કોઈ પણ જાતના પ્રયાજન વિના જીવહિંસા કરવી તે અનર્થદંડ છે આ જીવે મારા પુત્ર આદિનો વધ કર્યો હતા, વધ કરે છે કે વધ કરશે, એવી માન્યતાથી પ્રેરાઇને શત્રુ આદિને જે વધ કરવામાં આવે છે તેનું નામ હિંસાદ ડ છે. કોઇને મારવાને તૈયાર થયેલી વ્યક્તિ દ્વારા કાઈ અન્ય વ્યક્તિની અક સ્માત્ હત્યા થઈ જાય તે તેને અકસ્માત્ દંડ કહે છે. ધૃવિપર્યાસને કારણે જે પ્રાણાતિપાત થઈ જાય છે, તેને વિપર્યાસ દંડ કહે છે. જેમકે મિત્રને અમિત્ર માનીને તેનો વધ થઈ જાય તે તે વિપર્યાસ દંડ કહેવાય છે આ પાંચ દડનો ૧૩ ક્રિયાસ્થાનોમાં સમાવેશ થઈ જાય છે, પરન્તુ અહીં પાંચ સ્થાનોનો અધિકાર ચાલતા હાવાથી પાંચ જ સ્થાન ગ્રહણ કરવામાં આવ્યાં છે. તે ૧૩ ક્રિયાસ્થાન નીચે પ્રમાણે છે ર ગટ્ટુનāા હિંસા ” ઈત્યાદિ. તે તેર ક્રિયાસ્થાનોમાં અર્થ, અનથ આદિ આ પાંચ દંડના તે સમાવેશ થયેલા જ છે. તે તેર ક્રિયાસ્થાના વડે જીવ વધ થતા હેાય છે. !! સૂ. ૮ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy