SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ મલિ અર્હત અને બીજા ૬ રાજાએ મળીને જે સહક પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રતિબુદ્ધિ આદિ પ્રધાન ( ઉત્તમ) પુરુષની અપેક્ષા એ જ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું. જે એ પ્રમાણે માનવામાં ન આવે તે જ્ઞાતાસૂત્ર અને સમવાયાંગસૂત્રના કથન કરતાં આ કથન વિરુદ્ધ પડે છે. શાતા. સૂત્રમાં એવું કહ્યું છે કે-“બાહ્ય પરિષદના ૩૦૦ પુરુષોની સાથે, અભ્યન્તર પરિષદાના ૩૦૦ પુરુષોની સાથે અને આભ્યન્તર પરિષદાની ૩૦૦ સ્ત્રીઓ સાથે મલ્લિ ભગવાને પ્રવજ્યા લીધી હતી ? સમવાયાંગ સૂત્રમાં પણ એવું જ કહ્યું છે કે “વારો મો તિહિર ag ” “ પાર્શ્વનાથ ભગવાન અને મહિલનાથ ભગવાને ૩૦૦-૩૦૦ પુરૂ જેની સાથે પ્રવજ્યા લીધી હતી. આ કથન તે માત્ર પુરૂષોની અપેક્ષાએ જ કરવામાં આવ્યું છે. જ્ઞાતા સૂવમાં મલ્લિના ચરિત્રનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે “આ પુલિગ વાચક શબ્દને જે પ્રગ અહીં કરાય છે, તે અર્વતની અપેક્ષાએ કર્યો છે, એમ સમજવું. સૂ ૨પા દર્શનકે સ્વરૂપના નિરૂપણ ઉપરના સૂત્રમાં મહિલા આદિ પ્રજિત થયાની વાત કરી. તેમને સમ્યદર્શન થવાથી જ તેઓ પ્રજિત થયા હતા. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર દર્શનનું નિરૂપણ કરે છે-- “વિ રંગે ઘord” ઇત્યાદિ--( સૂ. ૨૬ ) ટીકાર્થ દર્શનના સાત પ્રકાર કહ્યા છે. જેના દ્વારા અથવા જેને સદૂભાવમાં પદાર્થને શ્રદ્ધાનો વિષય બનાવી શકાય છે, અથવા જાણી શકાય છે, તેનું નામ દર્શન છે. તે દર્શનના નીચે પ્રમાણે ૭ પ્રકાર કહ્યા છે-- (૧) સમ્યગ્દર્શન, (૨) મિથ્યાદર્શન, (૩) સમ્યગૂ મિથ્યાદર્શન, (૪) ચક્ષુર્દશન, (૫) અચક્ષુદંશન, (૬) અવધિદર્શન અને (૭) કેવલદર્શન. સમ્યગ્દર્શન (સમ્યકત્વ), મિથ્યાદર્શન (મિથ્યાત્વ), અને સમ્યગૂમિથ્યાદર્શન (મિશ્રદર્શન), આ ત્રણે દર્શન દર્શન મેહનીય કર્મના ભેદના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૬
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy