SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સંયત મનુષ્યોકે આહારગ્રહણ ઔર આહારકા ગ્રહણ નહીં કરનેકા નિરૂપણ આગલા સૂત્રમાં જ મનુષ્યને અછવાભિગમવાળા કહેવામાં આવ્યા છે. તેથી એ જ મનુષ્યના પ્રસ્તાવ સાથે સુસંગત એવા સંયત મનુષ્યના આહાર ગ્રહણ અને આહાર અગ્રહણના કારણ છે તેમનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે. “હિં ટાળહિં સમજે ળિથે” ઈત્યાદિ– સૂત્રાર્થ–નીચે દર્શાવેલા છ કારણેથી આહાર ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ગણાતું નથી, ૧) વેદના--જ્યારે સુધાવેદના રૂપ કારણું ઉપસ્થિત થાય છે ત્યારે તેના ઉપશમનને માટે આહાર ગ્રહણ કરતા સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. (૨) વિયાવૃત્ય--ગુરુની શુશ્રષા કરવા રૂપ કારણ જ્યારે ઉપસ્થિત થાય, ત્યારે જે તે આહાર ગ્રહણ કરે તે જિનાજ્ઞાને વિરાધક ગણાતો નથી. (૩) ઈર્યાપથની વિશુદ્ધિ રૂપ કારણે જ્યારે ઉપસ્થિત થાય ત્યારે પણ જે તે શ્રમણ નિગ્રંથ આહાર ગ્રહણ કરે છે તે પરિસ્થિતિમાં પણ તે જિના જ્ઞાને વિરાધક ગણાતું નથી, કારણ કે જે સાધુ ભૂખ્યો હોય છે તે અશક્ત બની જવાને કારણે ઈર્યાપથની વિશુદ્ધિ યંગ્ય પ્રકારે જાળવી શકતું નથી. તેથી આ ઈર્યાપથની વિશુદ્ધિ કરવાને નિમિત્તે જે તે આહાર લે તે જિનાજ્ઞાનું ઉલંઘનકર્તા ગણુ નથી. - પૃથ્વીકાયાદિકની રક્ષા કરવા રૂપ ૧૭ પ્રકારના સંયમને નિમિત્ત આહ ૨ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. (૫) ઉમ્બુવાસ આદિ રૂપ પ્રાણની સ્થિતિ નિમિત્તે આહાર ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પણ જિનાજ્ઞાને વિરાધક થતું નથી. (૬) જે તે શ્રમણ નિગ્રંથ ધર્મચિન્તનને નિમિત્ત-સૂત્રાર્થને વારંવાર વિચાર કરવા રૂપ શુભ ચિત્તપ્રણિધાનને નિમિત્ત-આહાર ગ્રહણ કરે તે પણ તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. આ પ્રકારના આ ૬ કારણોને લીધે આહાર ગ્રહણ કરનાર સાધુને જિનાજ્ઞાના વિરાધક ગણતા નથી. એ જ પ્રમાણે નીચે દર્શાવેલાં છ કારણોને લીધે જે કઈ શ્રમણ નિગ્રંથ આહારને પરિત્યાગ કરી નાખે તે તેને પણ જિનાજ્ઞાને વિરાધક ગણી શકાતો નથી-- જે કઈ શ્રમણ નિગ્રંથ જવર આદિથી પીડાતે હોય તે એવી પરિ સ્થતિમાં જે તે આહાર લે બંધ કરી દે તે તેને જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૦
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy