SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાઈ-જેના કરતાં કોઈ પણ ઉત્કૃષ્ટ ન હોય તેને અનુત્તર અથવા સર્વોત્કૃષ્ટ કહે છે. કાલ, મહાકાલ આદિ પાંચ નરકાવાસમાં ઉત્કૃષ્ટ વેદનાવાળા નારકને કારણે સર્વોત્કૃષ્ટતા સમજવી. અથવા તે નરકાવાસોની નીચે બીજી કઈ પણ નરકે નહીં હોવાને કારણે પણ તેમાં સર્વોત્કૃષ્ટતા સમજવી. “મહાતિમહાલય ? એટલે “અતિ વિશાળ” પહેલાં ચાર નરકાવાસે અસંખ્યાત જનપ્રમાણ હોવાને કારણે તેમનામાં ક્ષેત્રની અપેક્ષાએ અતિ વિશાળતા સમજવી. જો કે અપ્રતિષ્ઠાન નામને પાંચમે નરકાવાસ એક લાખ જનપ્રમાણ જ છે, છતાં પણ તેમાં નારકેનું આયુષ્ય અતિ મહાન હોવાથી તે દષ્ટિએ તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. એ જ પ્રકારનું કથન દિલેકના પાંચ અનુત્તર વિમાને વિષે પણ સમજવું. ત્યાં સાતવેદનીયને તીવ્ર ઉદય રહે છે. તેથી તે અનુત્તર વિમાનનિવાસી દેવે સાતવેદનીય આદિને પ્રકૃણ અનુભવ કરે છે. તે કારણે તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. સૂ. ૧૧ છે અનુત્તર નરકમાં અને અનુત્તર વિમાનમાં વિશિષ્ટ શક્તિશાળી છે જ જાય છે. તેથી હવે સૂત્રકાર પાંચ પ્રકારના પુરુષનું કથન કરે છે. “પંર પુરિઝાવા goળાઈત્યાદિ– ટીકાર્થ–પુરુષના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે– (૧) હી સત્વ, (૨) હીમનઃ સત્ત્વ, (૩) ચલ સત્ત્વ, (૪) સ્થિર સત્ત્વ અને (૫) ઉદયન સરવ. પરીષહે આવી પડે ત્યારે જે સંયત લજજાને કારણે પિતાના સંયમ ભાવમાંથી ચલાયમાન થતું નથી–અવિચલ જ રહે છે તેને હીસત્વ કહે છે. અથવા સંગ્રામ આદિમાં લજજાને કારણે જે માણસ અવિચલ રહે છે તેને હીસત્વ કહે છે. આ રીતે લજજાને કારણે જ જેની અવિચલતા ટકી રહી છે એવા જીવને હીસત્વ કહે છે. લજજાને કારણે જેના મનમાં જ માત્ર ડીસત્વ સ્થિરતા રહે છે-શરીરમાં રહેતી નથી (કારણ કે શીતાદિને અવસરે તેના શરીરમાં કંપાદિ વિકાર નજરે પડે છે), એવા જીવને “હીમના સત્વ” કહે છે. અસ્થિર સવવાળા જીવને “ચલ સર્વ” કહે છે. જેનું સત્વ (મનેબલ) સ્થિર હોય છે એવા જીવને “ અચલ સત્વ” કહે છે. જેનું સર્વ પ્રવર્ધમાન હોય છે, એવા જીવને “ઉદયન સત્ત્વ ” કહે છે. સૂ. ૧૨ છે સત્યવાન પુરુષના પાંચ પ્રકાર પ્રકટ કરવામાં આવ્યા. સામાન્ય રીતે ભિક્ષ (સાધુ) જ સત્યવાન હોઈ શકે છે. તેથી હવે સૂત્રકાર છાત સહિત ભિક્ષના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “૨ માં પurat ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy