________________
વ્યસક અને (૪) લષક. અથવા હેતુના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઔપમ્પ, અને (૪) આગમ.
અથવા હેતના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) “ દિતાત અત્તિ જણ હેતુઃ”, (૨) “ રિતરત્ન નાચ દેતુ: ", (૩) “નાસિત્તતા શક્ય હેતુ” અને (૪) “નાહતતત્વ નાચ દેતુઃ”
વિશેષાર્થ-જ્ઞાત” શબ્દ અહીં ઉદાહરણ (દષ્ટાન્ત)ને વાચક છે-તે દષ્ટાન્તના આહરણ આદિ જે ચાર ભેદે કહ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
દૃષ્ટાન્ત સાધ્યને બતાવનારું હોય છે. તે સાધ્ય સાધનના સંબંધમાં વાદી અને પ્રતિવાદીના બુદ્ધિસામ્યનું સ્થાન હોય છે. તેથી સામાન્ય રીતે તેના સાધમ્ય દષ્ટાન્ત અને વિધર્મી દૃષ્ટાન્ત નામના બે પ્રકાર પડે છે. સાધ્ય દ્વારા વ્યાપ્ત સાધન જ્યાં બતાવવામાં આવ્યું હોય છે તેનું નામ “સાધર્યું દૃષ્ટાન્ત છે. તેનું બીજું નામ અન્વય દષ્ટાન્ત” પણ છે કહ્યું પણ છે કે
"साध्यव्याप्तं साधनं यत्र प्रदश्यते सोऽन्वयदृष्टान्तः "
જેમ કે-“ચત્ર ચત્ર પૂરતત્રતત્રાઉન થથા મહાનઃ” અહી મહાનસ (રડું) અન્વય દૃષ્ટાન્ત રૂપ છે, કારણ કે ધૂમ અને અગ્નિને સાહચય સંબંધ આપણે તે બનેને મહાનસમાં જોઈએ ત્યારે સમજી શકાય છે. “જ્યાં જ્યાં ધુમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે, ” આ વાતની પ્રતીતિ આપણે તે બનેને રસોડામાં સાથે સાથે જ જેવાથી કરી શકીએ છીએ.-રસોડામાં ધુમાડે પણ હોય છે અને અગ્નિ પણ હોય છે, તેથી એ વાતની પ્રતીતિ થાય છે કે અગ્નિ વિના ધુમાડે સંભવી શકતા નથી, જે ધુમાડાને સદ્દભાવ હશે તે અગ્નિને પણ સદુભાવ જ હશે.
સાધનને અભાવે જ્યાં સાધ્યને અભાવ પ્રકટ કરવામાં આવે છે, એવા દેષ્ટાન્તને “વૈષમ્ય વ્યતિરેક દષ્ટાન્ત કહે છે. જેમ કે-“યત્ર વદિ નંતિ તત્ર ધૂમોડ નાહિત થા નારાયઃ” અહીં તળાવને વ્યતિરેક દષ્ટાન્ત રૂપે પ્રકટ કર્યું છે, કારણ કે તેમાં સાધ્યને–અગ્નિને પણ અભાવ હોય છે અને સાધન-ધુમાડાને પણ અભાવ હોય છે. એજ વાત “સાજો નાનામો હતો?” ઈત્યાદિ લેક દ્વારા પૃષ્ટ કરવામાં આવી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
८४