SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ તે મહાકર્મા હોય છે. તે કારણે કમબન્ધના કારણ રૂપ પ્રાણાતિપાત આદિ કાયિકી કિયાએથી અધિક પ્રમાણમાં તે યુકત હોય છે, મન્દ શ્રદ્ધા વાળ હોવાને કારણે શીત, ઉષ્ણ આદિ પરીષહોને જીતવાને અસમર્થ હોય છે, અસમિત હોય છે-ઈપથિકી આદિ સમિતિઓના પાલનથી વિહીન હોય છે અને તે કારણે દુર્ગતિમાં પડતા અને ઉદ્ધાર કરવાને સમર્થ એવા ચારિત્રરૂપ ધમને તે આરાધક હોતો નથી આ પહેલા પ્રકારને નિગ્રંથ સમજો. (૨) કોઈ એક શ્રમણ નિગ્રંથ રાત્મિક હોય છે-દીક્ષા પર્યાયની અપેક્ષાએ ચેષ હોય છે, તપશ્ચરણ શીલ હોય છે અને બાહ્ય-આભ્યન્તર પરિગ્રહને ત્યાગી હોય છે પરંતુ તે લઘુકમ હોય છે. કાયિકી આદિ અલપ ક્રિયાવાળે હોય છે, આતાપી હોય છે પરીષહોને સહન કરવામાં ધીરવીર હોય છે, અને સમિત હોય છે-ઈર્યાપથિકી આદિ સમિતિઓનું પાલન કરનાર હોય છે, તે કારણે તે નિગ્રંથ ધર્મારાધક હોય છે બીજા પ્રકારના શ્રમણ નિર્ગથેના આ લહાણે સમજવા. હવે ત્રીજા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણે બતાવવામાં આવે છેકોઈ એક શ્રમણ નિગ્રંથ દીક્ષા પર્યાયની અપેક્ષાએ લઘુપર્યાયવાળો હોય છે, તપશ્ચરણશીલ હોય છે અને બાહ્ય-આભ્યન્તર પરિગ્રહોથી રહિત હોય છે, પરન્ત તે મહાકર્મા હોય છે, મહાકિયાવાળો હોય છે, અનાતાપી હોય છે, પરીષહાને સહન કરવાને અસમર્થ હોય છે, તે કારણે તે અસમિત હોય છે અને એ જ કારણે તે ધર્મને આરાધક હેત નથી. ચેથા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણે હવે પ્રકટ કરવામાં આવે છે–એઈ એક શ્રમણ નિગ્રંથ “અવમાનિક હોય છે. એટલે કે લઘુ દીક્ષા પર્યાયવાળ હોય છે, તપશ્ચરણશીલ હોય છે, અને બાહ્ય-આભ્યતર પરગ્રહને ત્યાગી હોય છે, પરંતુ તે લઘુકર્મા હોય છે, અલ્પક્રિયાવાળો હોય છે, પરીષહાને સહન કરનારા હોય છે અને સમિત હોય છે તે કારણે તે ધર્મને આરાધક હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ३४
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy