SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિલેાકમાં સ’ભવિત પ્રાણાતિપાતને! ત્યાગ કરવા, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળમાં થઇ ગયેલા પ્રાણાતિષાતથી અથવા રાત્રિ આદિકાળે થઈ જતા પ્રાણાતિપાતથી વિરમણુ થવું, અને ભાવની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થવા રૂપ પ્રાણાતિપાતને ત્યાગ કરવા, તેનું નામ ‘સર્વેમાત્ પ્રાળાતિાસાત્ વિમળમું” છે. વ્યવહાર નયની દૃષ્ટિએ નીચે પ્રમાણે ૧૦ દસ પ્રાણ કહ્યાં છે-પાંચ ઇન્દ્રિય રૂપ પાંચ પ્રાણ, ત્રણુ ખલ રૂપ ત્રણ પ્રાણ, આયુ રૂપ એક પ્રાણ અને શ્વોચ્છ્વાસ રૂપ એક પ્રાણ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, અસજ્ઞિ પ'ચેન્દ્રિય અને સજ્ઞિ પંચેન્દ્રિય જીવેામાં પાતપેાતાની ચાગ્યતા અનુસાર ચારથી લઈને ૧૦ પ્રાણ સુધીના સદ્ભાવ હાય છે. જેમકે એકેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિયમલ પ્રાણ, કાયમલ પ્રાણ, શ્વાસેાષ્ટ્રવાસખલ પ્રાણુ અને આયુષ્યમલ પ્રાણના, આ રીતે ચાર પ્રાણના સદ્ભાવ હાય છે દ્વીન્દ્રિયમાં નીચેનાં છ પ્રાણાને સદ્ભાવ હોય છે—ચાર પ્રાણ એકેન્દ્રિયા પ્રમાણે, રસનેન્દ્રિયબલ પ્રાણ અને વચનખલ પ્રાણ, શ્રીન્દ્રિયામાં ઘ્રાણેન્દ્રિય પ્રાણુ અને ઉપર્યુક્ત છ પ્રાણ, ચતુરિન્દ્રિયામાં આઠ પ્રાણના સદ્ભાવ હોય છે. ઉપર્યુક્ત સાત પ્રાણુ અને ચક્ષુરિન્દ્રિયમલ પ્રાણ, અસ’જ્ઞી પચેન્દ્રિયમાં નવ પ્રાણને સદ્ભાવ હોય છે. ઉપર્યુક્ત ભાઠ પ્રણ અને શ્રેત્રેન્દ્રિયખલ પ્રાણુ. સંજ્ઞી પચેન્દ્રિયમાં દસ પ્રાણને સદ્ભાવ હોય છે, અસ'ની પ'ચેન્દ્રિય જેવા નવ પ્રાણુ અને મનખલ પ્રાણ આ પ્રાણેાને અતિપાત ( નાશ ) કરવા તેનું નામ પ્રાણ તિપાત છે. સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક આ પ્રાણાતિપાતથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ જ સમસ્ત પ્રાણાતિપાત વિરમણુ છે. આ પ્રથમ મહાવત છે. સમસ્ત મૃષાવાદથી સર્વથા નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૃષાવાદ વિરમણુ છે. આ ખીજું મહાત્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનું છે—સદ્ભાવના પ્રતિષેધથી ( જેને સદ્ભાવ હોય તેને સદ્ભાવ નથી એમ કહેવાથી) અસદ્ભાવ હોય તેના સદ્ભાવ પ્રકટ કરવાથી, વિપરીત અનું કથન કરવાથી, અસત્ય ભાષણથી, અથવા દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત ધર્માસ્તિ કાય આદિ દ્રવ્યવિષયક અસત્ય ભાષણથી, ક્ષેત્રની અપેક્ષાએ સમસ્ત લેાકાલેક વિષયક અસત્ય ભાષણથી, કાળની અપેક્ષાએ અતીત આઢિ કાળવિષયક અસત્ય ભાષણથી, અથવા રાત્રી આદિ સંખ ́ધી અસત્ય ભાષણથી, ભાવની અપેક્ષા એ કષાય, ના કષાય આદિ વડે જાયમાન અસત્ય ભાષણથી-મા પ્રકારે સમસ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ २०३
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy