SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને પણ જે માણસ પિતાના સગાંસંબંધીઓના મોહમાં જકડાયેલો રહે છે તેવી પ્રવ્રયાને આ કારણે જ માર્ગત પ્રતિબદ્ધા કહી છે, કારણ કે માર્ગતઃ (પૂર્વકાલિન) મેહ આદિ બંધને તેમાં ચાલુ જ રહે છે. ૨ જે પ્રવ્રયા શ્રમણ પર્યાયમાં પ્રાપ્ત થનારા ભાવી લાભની ચાહનાથી અને પૂર્વકાલિન ત્યક્ત વસ્તુઓની ચાહનાથી પ્રતિબદ્ધ હોય છે તે દીક્ષાને ઉભયતઃ પ્રતિબદ્ધા કહે છે. ૩ જે પ્રવજ્યા સકળ આશંસાથી (ઈચ્છાએથી) રહિત હોય છે. એટલે કે માત્ર એક્ષપ્રાપ્તિની અભિલાષાવાળી જે પ્રવજ્યા હોય છે તેને અપ્રતિબદ્રા પ્રવ્રયા કહે છે. ૪ ૫ ૨ | - પ્રવ્રજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) અપાત પ્રવ્રયા આખ્યાત પ્રવજ્યા, (૩) સંગર પ્રવજ્યા, (૪) વિહગગતિ પ્રવજયા. જે પ્રત્રજ્યા અપાતને લીધે ( સદ્ગુરુની સેવાને લીધે ) પ્રાપ્ત થાય છે, તેને અપાત પ્રવજ્યા કહે છે. જે પ્રવજ્યા આખ્યાનથી–ધર્મોપદેશના શ્રવણથી પ્રાપ્ત થાય છે તેને અથવા–“ પ્રવજ્યા ' શબ્દ સાંભળવાથી પ્રાપ્ત થાય છે તેને આખ્યાત પ્રત્રજ્યા કહે છે. જેમકે આર્ય રક્ષિતના ભાઈ ફશુરક્ષિતને પ્રાપ્ત થયેલી પ્રવજ્યાને આખ્યાત પ્રવજ્યા કહી છે. મેતાય આદિની જેમ જે પ્રજ્યા સંકેતથી પ્રાપ્ત થાય છે તેને સંગર પ્રવજ્યા કહે છે, અથવા તમે પ્રવજ્યા અંગીકાર કરે તે હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. આ પ્રકારના સંકેતપૂર્વક જે પ્રવજયા લેવામાં આવે છે તેને “ સંગર પ્રત્રજ્યા ” કહે છે. પરિવાર આદિની અનુપસ્થિતિમાં અથવા તેના વિગ રૂપ એકાકી અવસ્થામાં જે પ્રયા લેવામાં આવે છે તેને વિહગગતિ પ્રવજ્યા કહે છે, કારણ કે પક્ષીની જેવી ગતિ હોય છે એવી ગતિને કારણે એવી પ્રવ્રજ્યા લેવામાં આવી હોય છે. અથવા ઘર છેડીને પરદેશમાં જઈને જે પ્રવ્રજ્યા લેવામાં આવે છે તેને વિઠગગતિ પ્રવજ્યા કહે છે. અથવા પિતા આદિ દ્વારા પ્રવજ્યા લેવામાં આવી હોય અને ત્યારબાદ પુત્રાદિ કો દ્વારા જે પ્રવજ્યા લેવામાં આવે છે તેનું નામ વિહગગતિ પ્રવજ્યા છે. ૩ ! વળી પ્રત્રજ્યાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) દયિત્વા (૨) સ્વાવયિત્વા, (૩) ચયિતા, (૪) પરિવુતયિત્વા. વ્યથા ઉત્પન્ન કરા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૧૫૧
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy