SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પરલેકમાં પણ પ્રાપ્ત કરે છે, કારણ કે તેનું સેવન કરનાર માણસ ચારાદિની જેમ આ ભવમાં પણ વિવિધ પ્રકારના દુખે સહન કરે છે અને નારકાદિ ગતિમાં ઉત્પન્ન થઈને તે ગતિના વિવિધ કષ્ટ પણ સહન કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે હિંસા, ચોરી આદિ પાપકૃત્યોને ફલ વિપાક જીવને આલેકમાં પણ ભેગવ પડે છે અને પરલેકમાં પણ ભેગવો પડે છે. આ પાપકૃત્યના વિપાક રૂપે તેમને ઉભય લેકના કણો સહન કરવા પડે છે. તથા જે દુશ્ચિણું દુષ્કૃત્યનું, અસૂયા, ઈર્ષ્યા આદિ રૂપ પાપકર્મોનું જીવ પરલોકમાં (દેવાદિક ભમાં) ઉપાર્જન કરે છે, તે કર્મોને દુઃખફલરૂપ વિપાક જીવને આલેકમાં ભેગવ પડે છે. જેમકે આ મનુષ્યલકમાં આ જન્મ વ્યાધિ, દારિદ્ર આદિથી પીડાતાં મનુષ્ય અને તિર્યએ જોવા મળે છે. તેઓ પરભવકૃત પાપકર્મોને ખફલરૂપ વિપાક જ ભેગવી રહ્યા હોય છે. તથા–પરલેકમાં તિર્થગાદિ ભવમાં દુશ્મણ દુષ્કૃત્યેનું દુખવિપાક રૂપ ફલ તિર્યગાદિ ભવમાં જ ભેગવવું પડે છેમનુષ્યાદિ ભવમાં ભેગવવું પડતું નથી, કારણ કે તે કર્મો મનુષ્યાદિ ભવમાં ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થતાં નથી. તથા આલેકમાં સારી રીતે જેની આરાધના થઈ હોય એવાં દાનાદિ કર્મ અને છઠ્ઠ-અઠ્ઠમ તપસ્યારૂપ કર્મ આ લેકમાં જ સુખ વિપાકરૂપે ફળ આપનારા હોય છે. જેમકે તીર્થકર આદિ રૂપ સુપાત્રને દાન દેવાથી વસુધરા (ધન) ની વૃષ્ટિ થાય છે તથા છઠ્ઠ-અમ આદિ તપસ્યાઓથી આમ ઔષધિ આદિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે બાકીના વિકલ્પોનું વિવેચન પણ સમજી લેવું અહીં પહેલે અને બીજો ભે જ કહેવામાં આવે છે. બીજે ભેદ આ પ્રમાણે છે–આલેકમાં સુચીણું કર્મ ( ઉપાર્જિત સત્કર્મો) પરલેકમાં પણ સુખફલરૂપ વિપાકવાળાં હોય છે. જેમકે સાધુ, શ્રાવક આદિ દ્વારા કૃત સુચાણ કર્મ ત્રીજો ભાંગે–પરલોકમાં સુચીણું કર્મ આલેકમાં સુખફલરૂપ વિપાકથી યુક્ત હોય છે. જેમકે તીર્થંકર નામ કમે. ચોથે ભાગ–પરલેકના સુચીણું કર્મ પરલેકમાં સુખફલરૂપ વિપાકથી યુક્ત હોય છે. જેમકે બદ્ધ તીર્થકર ગોત્ર કર્મવાળે દેવ ભવસ્થ તીર્થકર સૂ. ૪૪ આ રીતે કથારૂપ વાગૂવિશેષનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પુરુષજાતની પ્રધાનતાની અપેક્ષાએ કાયવિશેષનું કથન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫ ૨
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy