SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્રલોકે પરિણામકા નિરૂપણ આ પ્રમાણે દ્રવ્યપર્યાયરૂપ કાળમાં ચતુર્વિધતાનું કથન કરીને હવે સૂત્રકાર પર્યાયાધિકારના સંબંધને અનુલક્ષીને પુદ્રના પર્યાયરૂપ પરિણામની ચતુર્વિધતાનું કથન કરે છે –“રવિદે વાઢારિણામે Qum” ઈત્યાદિ– સૂત્રાર્થ-બુકલ પરિણામ ચાર પ્રકારનું કહ્યું છે (૧) વર્ણ પરિણામ, (૨) ગન્ધ પરિણામ, (૩) રસ પરિણામ અને (૪) સ્પર્શ પરિણામ, ટીકાર્થ–પુલ પૂરણ અને ગલન સ્વભાવવાળાં હોય છે, અને રૂપ, રસ, ગન્ધ, વણ અને સ્પર્શવાળા હોય છે, તેથી તેમને મૂર્ત કહેવામાં આવ્યાં છે. તેમનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે ગમન થાય છે, તેનું નામ જ પરિણામ છે કહ્યું પણ છે કે–“પરિણામો -ત્તરામનy ઈત્યાદિ. હવે પુલ પરિણામના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. કાળ આદિ પાંચ વર્ણ કહ્યાં છે. કઈ પણ એક વણનું અન્ય વર્ણ રૂપે પરિ. વામન થઈ જવું તેનું નામ વર્ણરૂપ પરિણામ છે. ગધુ ગુણના પરિણમનને ગન્ય પરિણામ કહે છે. જેમકે સુરભિગન્ધનું દુરભિગધ (દુધ) રૂપે અથવા દરભિમન્યનું સુરભિ ગન્ય રૂપે પરિણમન થવું તેનું નામ ગબ્ધ પરિ. ણામ છે. મધુરાદિ રસેનું કડવા આદિ રસ રૂપે પરિણમન થવું અથવા કટુક રસનું મધુરાદિ રસ રૂપે પરિણમન થવું તેનું નામ રસ પરિણામ છે. શીતાદિ સ્પર્શોનું ઉષ્ણાદિ સ્પર્શરૂપે પરિણમન થવું તેનું નામ સ્પર્શ પરિણામ છે. સૂ. રા જેવદ્રવ્યને પરિણામ કા નિરૂપણ અજીવ દ્રવ્યના પરિણામનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર જીવ દ્રવ્યને પરિણામનું નિરૂપણ કરે છે. “માઘસુ વાયુ પુરિમઝિમવજ્ઞા'ઈત્યાદિ સૂત્રાર્થ–ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલા તીર્થકરો સિવાયના તીર્થકરોએ એટલે કે વચ્ચેના ૨૨ તીર્થકરેએ ચાતુર્યામ ધર્મની પ્રજ્ઞાપના કરી છે. તે ચાતુર્યામ ધર્મનું રવરૂપ આ પ્રકારનું છે–(૧) સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, (૨) સમસ્ત મૃષાવાદથી વિરમણ, (૩) સમસ્ત અદત્તાદાનથી વિરમણ અને (૪) ધર્મોપકરણ સિવાયના સમસ્ત પરિગ્રહથી વિરમણ. સમસ્ત મહાવિદેહમાં અહં તો ભગવતેએ જે ચાતુર્યામ ધર્મની પ્રજ્ઞાપના કરી છે તે ચાતુર્યામ ધર્મ પૂર્વોક્ત સમસ્ત પ્રાણાતિપાત આદિથી વિરમણ રૂપ જ છે, ટીકાર્થ—અહીં “” પદ વાયાલંકારમાં વપરાયું છે. પૂર્વ અને પશ્ચિમ પદે દ્વારા અહીં પ્રથમ તીર્થકર આદિનાથ અને છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૨ ૩
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy