SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આદિની અપેક્ષાએ જે સઘળા પર્વતને સ્વામી છે–સઘળા પર્વતમાં શ્રેષ્ઠ છે, તેને શૈલેશ કહે છે. એ પર્વત મેરુ છે. જે ભાવનામાં (અવસ્થામાં) તે મેરુ સમાન નિષ્પકમ્પન હોય છે, તે ભાવનાને શૈલેશી ભાવના અથવા શૈલેશી અવસ્થા કહે છે. મન, વચન અને કાયના સકળ વ્યાપારને જેણે નિરોધ કર્યો હોય છે એ જીવ જ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. શકલધ્યાનના લક્ષણો આ પ્રમાણે છે-(૧) “કદાથ” આ ધ્યાન વખતે ધ્યાનીની વ્યથાને અભાવ થઈ જાય છે. દેવાદિત ઉપસર્ગને જ અહી વ્યથા સમજવી જોઈએ. તે ભયથી વિચલિત ન થવું તે શુકલધ્યાનનું પહેલું લક્ષણ છે, અહીં તે લક્ષણને “અવ્યથા” પદથી પ્રકટ કર્યું છે. (૨) “કાક્યો:” મૂઢતાનું નામ સમોહ છે, અને તેના અભાવને અસંમેહ કહે છે. એટલે કે દેવાદિત માયાજનિત મૂઢતાને અથવા સૂક્ષ્મ પદાર્થ વિષયક મૂઢતાને અભાવ થઈ જ તેનું નામ અમેહ છે. “શિવા” જેમ હંસ પાણીમાંથી દૂધને અલગ કરી નાખે છે, એ જ પ્રમાણે બુદ્ધિ દ્વારા દેહથી આત્માને અલગ કરે, અને આત્મામાંથી સર્વ સંગને અલગ કરી નાખવા તેનું નામ વિવેક છે. () “વિકણો-વ્યુત્સગ ”— વિશેષ રૂપે સર્વ વિષયોમાંથી નિસંગ થઈ જવાને કારણે દેહ અને ઉપધિઓને ત્યાગ કરવો તેનું નામ વ્યુત્સર્ગ છે. અહીં આ પ્રકારની ગાથાઓ છે-“વાસિરૂ વિમેવ ધો” ઇત્યાદિ. શુકલધ્યાનના આ ચાર અવલંબને કહ્યા છે-“ ” ઈત્યાદિ. (૧) “રવંતી” શાન્તિ (ક્ષમા), (૨) મુક્તિ-નિર્લોભતા, (૩) આર્જવ-સરલતા અને (૪) માર્દવ-મૃદુતા. એ જ વાત નીચેની ગાથા દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે-“અવંતિ-મફત-રા” ઈત્યાદિ– શુકલધ્યાન સંબંધી અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે–(૧) અનંતવર્તિતા, (૨) વિપરિણામાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. અનંત થઈને જે રહે છે તે અનંતવર્તી છે. એ અનંતવતી ભવપ્રવાહ છે. તે ભવપ્રવાહને જે ભાવ છે, તે અનંતવર્તિતા છે. તે અનંતવર્તિતાની જે ભાવના છે તેનું નામ જ અનંતવર્તિતા અનુપ્રેક્ષા છે. અથવા “અનન્ત વૃત્તિતાના ” આ પ્રકારની અનંતવર્તિતા અનુપ્રેક્ષાની સંસ્કૃત છાયાની અપેક્ષાએ તેના અર્થને વિચાર કરવામાં આવે તે તેને આ પ્રમાણે અર્થ થશે– જેને અંત અવિદ્યમાન હોય તેને અનંત કહે છે. એવી અનંત રૂપ જે વૃત્તિ જે ભવસન્તાન પરંપરાની છે, તેનું નામ અનંતવૃત્તિ છે. તેને જે ભાવ છે તેનું નામ અનંતવૃત્તિતા છે. તે અનંતવૃત્તિતાની જે અનુપ્રેક્ષા છે તેનું નામ » અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા” છે. એટલે કે જીવના ભવપ્રમાણનો વારંવાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૪
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy