SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંસારમાં આત્માને કઈ રક્ષક નથી, એ પ્રકારની ભાવના રાખવી તેનું નામ અશરણાનુપ્રેક્ષા છે. કહ્યું પણ છે-“ક” ” ઈત્યાદિ (૪) આ જીવ કર્મને અધીન રહીને ચાર ગતિવાળા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એ વિચાર કરે તેનું નામ સંસારાનુપ્રેક્ષા છે. કહ્યું પણ છે કે-“મારા મૂલ” ઈત્યાદિ. “એવી કઈ પણ પર્યાય નથી કે જ્યાં આમાએ જન્મ-મરણું અનુભવ્યા ન હય,” આ પ્રકારની ભાવના સંસાર અનુપ્રેક્ષામાં પ્રધાન રહે છે. એ જ વાત “માતા મૂત્રા” ઈત્યાદિ લેકમાં પ્રકટ કરવામાં આવી છે. હવે શુકલધ્યાનનું નિરૂપણ કરવામાં આવે છે–ભેદ, લક્ષણ, આલમ્બન અને અનુપ્રેક્ષારૂપ ચાર બાબતની અપેક્ષાએ વિચારણીય હેવાથી તેના ચાર પ્રકાર કહ્યા છે. શુકલધ્યાનના પૃથકવિતર્ક સવિચાર આદિ ચાર પ્રકારનું હવે નિરૂપણ કરવામાં આવે છે– આ પૃથકવિતર્ક સવિચારમાં શ્રુતજ્ઞાનને આધાર લઈને વિવિધ દૃષ્ટિ. એથી વિચાર કરવામાં આવે છે, તેથી તેને પૃથકવિતક રૂપે પ્રકટ કર્યું છે. અને તેમાં અર્થ, વ્યંજન આદિની અપેક્ષાએ સંક્રમણ થતું જ રહે છે, તેથી તે “વિચારસહિત” વિશેષણ લગાડવાને પાત્ર બન્યું છે. આ રીતે આ ધ્યાનનું પૂરું નામ “પૃથકત્વરિતક સવિચાર ” પડયું છે. એ જ વાતને સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે– " पृथक् -भिन्नम् तस्य भावः पृथक्त्वम् भेदोऽनेकत्वम् , वितर्कः पूर्वगत. શ્રાઃ નાનાનપSનુ-વિરપ ચત્ર તથા ” ઈત્યાદિ. વિતર્ક એટલે શ્રત એટલે અર્થ સંક્રાન્તિ, વ્યંજન સંક્રાન્તિ અને યોગ સંક્રાન્તિનું નામ વિચાર છે. આ પ્રમાણે વિચાર અને વિતકને ભેદ સમજાવવામાં આવે તે આ લેનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. કહ્યું પણ છે કે – “ ૩૦ દિ મંng” ઇત્યાદિ— આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઉપશમ શ્રેણી ક્ષેપક શ્રેણી પર આરહણ કરનારે કે એક પૂર્વજ્ઞાનધારી મનુષ્ય કૃતજ્ઞાનને આધારે કઈ પણ પરમાણુ આદિ જડનું અથવા આત્મારૂપ ચેતનદ્રવ્યનું ચિન્તન કરે છે અને એવું કરતે તે મનુષ્ય તેનું દ્રવ્યાર્થિક દૃષ્ટિથી કે પર્યાયાર્થિક દૃષ્ટિથી ચિન્તન કરે છે. દ્રવ્યાર્થિક દષ્ટિએ વિચાર કરતી વખતે તે પુલાદિ દ્રવ્યમાં કઈ દષ્ટિએ સામ્ય છે અને તેમના અવાન્તર ભેદે ( પ્રભેદો) પણ કઈ રીતે થઈ શકે છે. ઈત્યાદિ તેને વિચાર કરે છે. પર્યાયાર્થિક દૃષ્ટિએ જ્યારે તે તેમને વિચાર કરે છે ત્યારે તે તેમની વર્તમાનકાલિક વિવિધ અવસ્થાઓને વિચાર કરે છે. અને શ્રુતજ્ઞાનને આધારે તે જીવ કયારેક એક દ્રવ્યરૂપ અર્થ પરથી બીજા અર્થ પ૨, એક દ્રવ્યરૂપ અર્થ પરથી કેઈ એક પર્યાયરૂપ અર્થ પર, એક પર્યાયરૂપ અથપરથી બીજી પર્યાયરૂપ અર્થ પર અથવા એક પર્યાયરૂપ અર્થ પરથી કોઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૮૧
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy