SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજા કારણનું નિરૂપણુ-તે નરકાના અધિપતિ અમ્બ, અમ્બરીષ આદિ પરમાધાર્મિક દેવા હોય છે. તેઓ અસુરકુમાર જાતિના દેવ છે. જ્યારે કાઈ નવા નારક નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પરમધાર્મિક દેવે તેના ઉપર આક્રમણ કરે છે—તેને મારે છે, તે કૂતરાએની જેમ નારકેને અંદરોઅંદર લડાવે છે. નરકમાં આ પ્રકારની સ્થિતિ જોઇને તે અધુનેાપપન્નક નારકને આ મનુષ્યલેાકમાં આવવાની ઇચ્છા થાય છે, પરન્તુ તે અહીં આવી શકતા નથી, તેનું કારણ એ છે કે તેને પરમાધાર્મિક નિયપાલા વૈકી રાખે છે. આ રીતે તેમના દ્વારા પ્રતિરૂદ્ધમાન થવાને કારણે તે મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા થવા છતાં આવી શકતા નથી. ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ—નરકમાં ભાગવવા ચેાગ્ય જે કમને મધ તે નવા નારકે કર્યાં હોય છે, તેને જ્યાં સુધી તે પૂર્ણરૂપે ભાગવીને નિર્મૂલ કરી નાખતા નથી, ત્યાં સુધી તે નરસ્લેકમાંથી નીકળી શકતે નથી, કારણ કે અવશ્ય વેદનીય નારક કરૂપ એડીથી તે જકડાયેલા રહે છે. ચેાથા કારણનું નિરૂપણુ—તે નવા નાકે નરકાયુના જે અન્ય કઈં ડાય છે તેને ભેળવ્યા વિના તે ત્યાંથી નીકળી શકતા નથી, આ રીતે અદ્ધ ક અવશ્ય ભાગ્ય હોવાને લીધે તેને ત્યાંજ રહેવું પડે છે-ગમે તેટલી ઇચ્છા કરવા છતાં તે અહીં આવી શકતા નથી, અસયમજનક પરિગ્રહને કારણે જીવ નારક રૂપે ઉત્પન્ન થાય છે. હવે તેનાથી વિપરીત એવી પગ્રિડરહિત સાવીનું સૂત્રકાર કથન કરે છે~~ ૮ વ્પત્તિ ” ઇત્યાદિ—હિરણ્ય, સુવણુ આદિ રૂપ બાહ્ય પરિગ્રહથી અને મિથ્યાત્વ આદિ રૂપ અન્તર'ગ પરિગ્રહથી સાધ્વીએ રહિત હાય છે, તેથી તે સાધ્વીઓને નિગ્રંથીઓ કહેવામાં આવે છે. તે સાધ્વીઓને ચાર ઉત્તરીય વસ્ત્ર વિશેષ ( ચાદર ) ક૨ે છે. તેમને જે ચાર સ'ઘાટીએ (ચાદરા) ક૨ે છે, તેનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે— (૧) એ હાથની લંબાઇવાળા ઉત્તરીય વસ્રને ( ચાદરને ) પ્રથમ સધા ટીમાં પરિગણિત કરવામાં આવ્યું છે. (ર) ત્રણ હાથની લંબાઈના એ વસ્રોને દ્વિતીય અને તૃતીય સંઘટીમાં ગણાવવામાં આવેલ છે (૩) ચાર હાથની લખાઈવાળા એક વસ્ત્રને ચેાથી સઘાટીમાં ગણાવવામાં આવેલ છે. આ ચાર પ્રકારની ચાદર સાધ્વીઓને ધારણ કરવા ચેાગ્ય કહી છે. તેમાંથી જે પહેલા પ્રકારની સ’ઘાટી કહી છે, તે તે તેમને ઉપાશ્રયમાં જ ધારણ કરવા ચેગ્ય કહી છે. ખીજા અને ત્રીજા પ્રકારની જે એ સ ંધાટીએ કહી છે તેમાંથી એક ભિક્ષા. ટનને સમયે ધારણ કરવા ચેાગ્ય કહી છે અને બીજી સ્થડિભૂમિમાં ગમન કરતી વખતે ધારણ કરવા ચેાગ્ય કહી છે, અને ચાથી સ'ઘાટી સમવસરણમાં ધારણ કરવા ચેાગ્ય કહી છે. કહ્યું પણ છે કે ‘‘સંઘાડીયો વો તથ ’' ઇત્યાદિ–સૂ. ૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૧૭૩
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy