SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ ચારેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. આધાકર્મ દોષથી દૂષિત થયેલા આહારાદિકનું આમંત્રણ સ્વીકારવાથી અતિકમ લાગે છે. તેને લેવા માટે ગમન કરવામાં વ્યતિક્રમ દેષ લાગે છે, તેને ગ્રહણ કરવામાં અતિચાર લાગે છે અને તેને ખાઈ લેવાથી અનાચાર દોષ લાગે છે. કહ્યું પણ છે કે “નાટ્ટાગ્યામંતા ઈત્યાદિ એ જ પ્રમાણે ઉત્તર ગુણરૂપ ચારિત્રના સંબંધમાં પણ આ ચારેનું કથન થવું જોઈએ. આ ઉદ્દેશથી જ્ઞાન અને દર્શનમાં ઉપકારી દ્રવ્યરૂપ ભાંડ, ઉપકરણ આદિને અને મુનિવેષને ઉપઘાત કરવા નિમિત્ત અથવા મિથ્યાદષ્ટિ ની પ્રભાવના કરવાને માટે નિમંત્રણના સ્વીકાર આદિ રૂપ ચારે કામોથી અતિક્રમ આદિ ચારે દેષ લાગે છે, એમ સમજવું. ૫ ૧૪ છે સિર્ફ બરૂમાળેઇત્યાદિ તેથી ત્રણ પ્રકારના અતિક્રમોની આલેચના કરવી જોઈએ. આલેચને એટલે ગુરુની સમક્ષ અતિક્રમ આદિનું નિવેદન કરવું તે-મિથ્યા દુષ્કતદાનાદિપૂર્વક તે દેથી મક્ત થવું, પિતાની સાક્ષીએ તે અતિકમની નિન્દા કરવી, ગુરુની સાક્ષીએ તે અતિકમેની ગહ કરવી, એ જ અતિક્રમાદિ કમાંથી છુટવાના સાધને છે. “વાવ પ્રતિ ” આ સૂત્રમાં વપરાયેલા “ચાવત્ (પર્વત) પદથી અહીં “વિકાઝા, વિજ્ઞ, સરળયાર મુના, ગારિયં તવો. વા પછિત્ત ” આ પાઠ સંગૃહીત થયા છે. અતિકમ આદિના અધ્યવસાયનું છેઠન કરવું તેનું નામ વિકૃદન છે. અતિક્રમ આદિ જન્ય પાપના પ્રાયશ્ચિતપૂર્વક, પિતાના ચારિત્રના અતિચાર રૂપ મળના પ્રક્ષાલન દ્વારા આત્મશુદ્ધિ કરવી તેનું નામ વિશેના (વિશુદ્ધિ) છે. “હવે ફરી હું એવું નહીં કરું” આ પ્રમાણે પુનઃ અકરણની પ્રતિજ્ઞા કરવી તેનું નામ અકરણુતા છે. પાપને અનુરૂપ અનશન આદિરૂપ અથવા નિર્વિકૃતિ આદિરૂપ પ્રાયશ્ચિત કરવું તેનું નામ “યથાઉં તપઃકર્મ પ્રાયશ્ચિત્ત” છે. આ ક્રિયાઓ કરવાથી પણ અતિક્રમ આદિ જન્ય દેની શુદ્ધિ થાય છે. આ રીતે જ્ઞાનાતિકમ, દર્શનાસિકમ અને ચારિત્રાતિક્રમના ભેદથી અતિક્રમના ત્રણ પ્રકાર પડે છે. એ જ પ્રમાણે વ્યતિક્રમના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે, જ્ઞાનવ્યતિક્રમ, દર્શન વ્યતિક્રમ અને ચારિત્ર વ્યતિકમ. એજ પ્રમાણે અતિચારના પણ આ ત્રણ પ્રકાર પડે છે-જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર અને ચારિત્રાતિચાર. અનાચારના પણ ત્રણ પ્રકાર પડે છે-જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાનાચાર. આ બધાં દેશોની આલોચના આદિ કરવાથી ગૃહીત તેની અથવા નાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિ થાય છે. પ્રાયશ્ચિત્ત પાપનું છેદક તથા વિશેધક હોય છે. કશું પણ છે કે-“પ્રાયઃ HIV વિનાનીચા=” ઈત્યાદિ– પ્રાયઃ એટલે પાપ અને ચિત્ત એટલે શોધન. એટલે કે પાપની શુદ્ધિ જેના દ્વારા થાય છે તેને પ્રાયશ્ચિત્ત કહે છે, એ પ્રાયશ્ચિત્તને આ નિરુત્યર્થ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૮૫
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy