________________
બંધ કે એકત્વ કા નિરૂપણ
ટીકાઈ–બાંધવું એટલે બંધ. તે બંધ એક પ્રકારના સંગ વિશેષરૂપ હોય છે. આ ને કારણે જીવ આ બંધ કરે છે. કષાયયુક્ત આત્માને દરેક પ્રદેશ અ ઠ કર્મો વડે ગાઢરૂપે જકડાયેલો હોય છે, તેનું નામ જ બંધ છે. આ બંધ દશામાં આત્માના પ્રદેશ અને કર્મોના પ્રદેશ એકમેકની સાથે ક્ષીર નીરની જેમ ( દૂધ અને પાણીની જેમ) ભળી જાય છે. સકષાયી જીવ જ કને બંધ કરતે હેય છે, કારણ કે કષાયયુક્ત જીવ કમના એગ્ય પુલને ગ્રહણ કરે છે. જો કે આ બંધના પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારે કહ્યા છે. છતાં પણ બંધ સામાન્યની અપેક્ષાએ તેને એક (એક સંખ્યાવાળે) કહ્યો છે.
અથવા–જીવે જ્યારે સંસારથી મુક્ત થઈ જાય છે, ત્યારબાદ ફરીથી આ બંધ કરતે નથી. તેની પુનબંધના અભાવની અપેક્ષાએ તેને એક સંખ્યાવાળે કહ્યું છે.
અથવા–દ્રવ્યબંધ અને ભાવબંધની અપેક્ષાએ બંધના બે પ્રકાર છે. જાર ( સાંકળ) આદિ દ્વારા જે બંધ થાય છે તેને દ્રવ્યબંધ કહે છે, અને રાગદ્વેષાદિને કારણે જે બંધ થાય છે તેને ભાવબંધ કહે છે. તે બનેમાં બંધ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે.
શંકા–આપે બંધની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે-“જીવ અને કર્મના પરસ્પરના સંગ વિશેષને બંધ કહે છે.” તે તે સંગ આદિમાન છે કે અનાદિરૂપ છે? એટલે કે જીવની સાથે કર્મોને આ સંગ અમુક સમયથીજ છે કે અનાદિકાળથી છે? જે તેને એવો જવાબ હોય કે તે સંબંધ અમુક સમયથી છે. તે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે પહેલાં આત્મા ઉત્પન્ન થયે છે? કે કર્મ ઉત્પન્ન થયેલ છે ? કે બન્ને એક સાથે ઉત્પન્ન થયેલા છે?” આ પ્રશ્નને પહેલો વિકલ્પ તે એ કારણે માન્ય થાય તેમ નથી કે આત્મા તે નિહેતુક છે અને જે નિર્દેતુક હોય છે તેની ઉત્પત્તિ ખરવિષાણ (ગર્દભને માથે શિંગડાં) ની જેમ સંભવી શકતી નથી. જે કારણ વિના પણ ઉત્પત્તિ માની લેવામાં આવે તો તેની ઉત્પત્તિ જ સદા થતી રહેવી જોઈએ-તે અઢ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧