________________
કરવામાં આવેલ છે. કેવળજ્ઞાનને ગ્રહણ નહીં કરવાનું કારણ એ છે કે તે જ્ઞાન તે જ્ઞાનાવરણ કર્મના સર્વથા ક્ષયથી જ ઉત્પન્ન થાય છે.
જો કે બધિ આદિક સમ્યક્ત્વ ચારિત્રરૂપ હેવાથી કેવળ ક્ષય વડે અને કેવળ ઉપશમ વડે જ પ્રાપ્ત થાય છે. પરંતુ તેઓ ક્ષયે પશમ વડે પણ પ્રાપ્ત થાય છે, કારણ કે શ્રવણાદિકથી લઈને મનઃપર્યવ પર્યન્તના જ્ઞાન ક્ષપશમથી જ થાય છે એજ કારણે આ પદ ય (બે પદે) દ્વારા સર્વસાધારણ ક્ષપશમનું જ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું. એ સૂ. ૪૧ છે
પલ્યોપમ સાગરોપમકા નિરૂપણ
ધિ અને મતિ, શ્રત, અવધિજ્ઞાન, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ દ૬ સાગરોપમથી સ્થિતિવાળાં હોય છે, અને સાગરોપમ કાળ પલ્યોપમને આધારે જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર તે બનેની પ્રરૂપણ કરે છે–
સુવિ અદ્ધોવમિg vળ” ઈત્યાદિ–
ટીકાર્થ-જે કાળને ઉપમા વડે જાણી શકાય છે તે કાળને ઔપમિક કાળ કહે છે. કારણ કે તે કાળનું પ્રમાણ ઉપમા વડે જ નીકળી શકે છે. તેથી તેને અદ્ધોપમિક (અદ્ધા એટલે કાળ ઉપમા દ્વારા જાણી શકાય તેવા કાળને અઢોમિક કહે છે) કહે છે. તે અદ્ધપમિકના પલ્યોપમ અને સાગરોપમ નામના બે ભેદ છે. લાટ દેશમાં વપરાતા એવાં ધાન્યાધાર વિશેષને પત્ય કહે છે તે પલ્યની સાથે જેની ઉપમા આપી શકાય એવા કાળને પાપમ કાળ કહે છે, તથા સાગરની સાથે જેને સરખાવી શકાય એવા કાળનું નામ સાગરોપમકાળ છે. એટલે કે સાગરની સમાન મહા પરિમાણવાળા કાળનું નામ સાગરોપમકાળ છે “હે ભગવન્! તે પલ્યોપમકાળનું સ્વરૂપ કેવું છે?”
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે, હે ગૌતમ ! તે અોપમિક પલ્યોપમ કાળનું સ્વરૂપ નીચેની બે ગાથાઓમાં બતાવ્યા પ્રમાણે છે-“કોચષિસ્થિiઈત્યાદિ. તે બન્ને ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
એક ચેાજન લાંબે, એક જન પહોળે અને એક યોજન ઊડે એક કો ખોદવામાં આવે. તેમાં એકથી લઈને સાત દિવસ સુધીમાં ઉગેલા વાળના અગ્રભાગોને ભરવામાં આવે. એટલે કે માથું મુંડાવ્યા પછી એકથી લઈને સાત દિવસ પર્યન્તમાં ઉગેલા વાળના અગ્રભાગેથી તે કૂવાને એ
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧