SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તેઓ અનેક ભિક્ષુ શિષ્યોને એકઠા કરીને અલગ અલગ વિસ્તારપૂર્વક ઉપદેશ આપે છે. જેના ટીકાથ– મગધ દેશમાં વસંતપુર નગરમાં આદ્રક રાજકુમાર હતા તે તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મદેશના સાંભળવા માટે ચાલ્યા. માર્ગમાં તેને ગે શાલક મળે. તેણે તેને પૂછ્યું છે કે–તમે ક્યાં જાઓ છે ? આદ્રકે ઉત્તર આપે કે-તીર્થકર ભગવાનની દેશના સાંભળવા માટે હું જાઉં છું. ત્યારે ગોશાલકે હસીને કહ્યું કે-તેઓની દેશના સાંભળવા લાયક નથી કેમકે મહાવીર સ્વામી પહેલાં એકાકી વિચરણ કરતા હતા. પરંત હવે અનેક સંખ્યામાં શિષ્યોને એકઠા કરીને ખીચખીચ ભરેલી સભામાં ઉપદેશ આપે છે. તેઓની બુદ્ધિ વિપરીત થયેલી છે. તેઓ હવે એકાન્ત વિહારી રહ્યા નથી. તથા અન્ત પ્રાન્ત આહાર કરવા વાળા પણ રહ્યા નથી વિગેરે વિષયનું સમર્થન કરવા માટે ઉત્તર અને પ્રત્યુત્તરના રૂપે આગળના સૂત્રો કહ્યા છે. આ ચાલુ સત્રને અર્થ આ પ્રમાણે છે. –હે આદ્રક ! મહાવીરે પહેલાં જે કરેલ છે, તે તમે સાંભળે, સમઝ અને તે પછી પણ તમારી ઈચ્છા હોય તે તેઓની પાસે જજે. શ્રમણ મહાવીર પહેલાં એકલા જ વિહાર કરતા હતા. અને તપસ્વી હતા. પરંતુ હાલમાં તેઓ અનેક શિષ્યને પોતાની પાસે રાખે છે. અને તેઓને અલગ અલગ વિસ્તાર પૂર્વક ઉપદેશ આપે છે, તેઓનો આ આચાર પ્રવેત્તર વિરૂદ્ધ-પરસ્પર વિરોધી છે. આવી સ્થિતિમાં તેઓની પાસે જવાથી શું લાભ થવાને છે? ગાલા “Rા ગાગિવિયા પવિયા ઈત્યાદિ શબ્દાર્થ –“અસ્થિરે – રળિ” અસ્થિર ચિત્તવાળા મહાવીરે “ના માનવિચા-ના ગાનવિજ’ આ રીતની આજીવિકા “વિવા કસ્થાતિ” બનાવી લીધી છે. અર્થાત્ જીવન નિર્વાહ માટે દંભને સ્વીકાર કરી લીધું છે. “માજો જમો મિઠુમક-સમાનતઃ જળ મિક્ષમળે તે સભામાં જઈને સાધુઓની વચમાં વજનકલ્થ-વહુન્યમર્શમ્' બહુજના હિત માટે કારણમાળો-ગારક્ષા: ઉપદેશ આપે છે. આવા પુરવં ન સંધારું–પૂર્વ રાતિ' તેમના આ વર્તમાન ચાલુ વ્યવહારને ભૂતકાળમાં આચરેલ વ્યવહારની સાથે મેળ ખાતે નથી. આ એક બીજાથી વિરૂદ્ધ પ્રકારનું આચરણ છે. ગારા અન્વયાર્થ—અસ્થિર ચિત્તવાળા મહાવીર સ્વામીએ દંભને રવીકાર કરી લીધો છે. તેઓ સભામાં જઈને સાધુઓની વચમાં ઘણા લોકોના હિત માટે ઉપદેશ આપે છે. તેમના આ વર્તમાન કાળને વ્યવહાર પહેલાના વ્યવહાર સાથે મળતો આવતો નથી. આ આચરણ એકબીજાથી જુદા પડે છે. રા ટીકાર્થ–ચંચલ સ્વભાવના મહાવીરે પોતાની આજીવિકા ચલાવવા માટે શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy