SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે બ્રહ્મચર્ય રૂપ સંયમનું જીવન પર્યત પાલન કરે અને ગુરૂની આજ્ઞા પાલક બનીને ગ્રહણસેવના દ્વારા સારી રીતે વિનયને અભ્યાસ કરે (સીખે) અને સંયમ પાલનમાં નિપુણ બનીને કોઈ પણ પ્રકારનું પ્રમાદ ન કરે અર્થાત્ બધાજ પ્રમાદને ત્યાગ કરે છે ટકાથે–આ જીનપ્રવચનમાં અથવા આ લેકમાં સંસારના સ્વભાવને જાણવા વાળે પુરૂષ આત્માના બંધના કારણે મૃત દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય વિગેરે બાહ્ય અને આક્યન્તર ગ્રન્થ અર્થાત્ પરિગ્રહ ત્યાગ કરીને તથા દીક્ષાને સ્વીકાર કરીને, સૂત્રાયયન રૂપ ગ્રહણ શિક્ષાને અને પ્રક્ષેપણાદિ રૂપ અસેવન શિક્ષાનું સેવન કરતાં નવ વાડેથી યુક્ત બ્રહ્મચર્યનું પાલન કરે ! જીવન પર્યન્ત આચાર્ય સમીપે નિવાસ કરે. હમેશાં ગુરૂજનની આજ્ઞાનું પાલન કરે ગ્રહણ અને આસેવન રૂપ વિનયનું સારી રીતે સેવન કરે. જે સંયમના અનુષ્ઠાનમાં કુશળ એવા અથવા આચાર્યના ઉપદેશને ગ્રહણ કરવામાં કુશળ એવા શિષ્ય પ્રમાદ ન કરે. જેમ રોગી વૈદ્યના ઉપદેશ પ્રમાણે આચરણ કરતે થકે પ્રશંસા અને નીરોગી પણું પ્રાપ્ત કરે છે, એ જ પ્રમાણે જીવન પર્યન્ત આચાર્યના ઉપદેશનુ તથા સંયમનું પાલન કરતા થકા સાવધ ગ્રન્થને ત્યાગ કરવાવાળા સાધુ પાપકર્મના ઔષધ રૂપ આચાર્યના વચનનું પાલન કરનાર પ્રશંસા પ્રાપ્ત કરે છે. લેક તેને કહે છે કે–અહે! ગુરૂની આજ્ઞાકારી આ મુનિને ધન્ય છે. તે સઘળા કમેને ક્ષય કરે છે. તાત્પર્ય એ છે કે આ લોકમાં પરિગ્રહને ત્યાગ કરીને શિક્ષા પ્રાપ્ત કરીને અને દીક્ષા ગ્રહણ કરીને સમ્યક્ બ્રહ્મચર્યનું પાલન કરે. ગુરૂની આજ્ઞાનું પાલન કરતા થકા વિનય સીખે, સંયમનું અનુષ્ઠાન કરવામાં પ્રમાદ ન કરે એના જેઓ જીવન પર્યન્ત ગુરૂ વચનને આધીન થઈને સંયમનું પાલન કરે છે, તેઓ સંસાર સાગરને પાર કરી લે છે, તેથી ઉલ્ટા જે ગુરૂ આજ્ઞાનું પાલન ન કરતાં સ્વછંદ બની જાય છે, અને ગચ્છથી બહાર નીકળીને એક વિહાર કરે છે, તેને શું અપાય (કચ્છ) થાય છે, એ બતાવવા માટે સત્રકાર Tel’ ઈત્યાદિ ગાથાનું કથન કરે છે. શબ્દાર્થ “નાથા જે પ્રમાણે “વત્તજ્ઞાતં–શપત્રજ્ઞાત' જેને પાંખ આવી ન હોય એવું પક્ષીનું બચ્ચું “સાવાસમા-સ્થાવાસન્ પિતાના નિવાસસ્થાનથી “વિવું–વિતુમ' ઉડવાની “મામા-માનમ' ઈચ્છા કરતે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૫૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy