SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે શાલિ, યવ આદિ આ કથન દ્વારા લતા, ગુલમ, ગુચ્છ આદિ ભેદને ગ્રહણ કરવા જોઈએ. કીન્દ્રિય આદિ જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમને ત્રસ કહે છે અંડજ એટલે ઇંડામાંથી ઉત્પન થતાં પક્ષીઓ, અને સર્ષ આદિ , જરાયુજ એટલે ચામડાના પાતળા પારદર્શક પડમાં લપેટાઈને જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ આદિ જીવે વેદજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થનાર જુ, માકડ આદિ જીવો, રસજ એટલે સડેલી અથવા વિકૃત વસ્તુઓમાં ઉત્પન્ન થનાર જંતુઓ. આ બધાં જીવોને ત્રસ જીવે કહે છે. પૃથ્વીકાય આદિ ભેદોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમની હિંસામાં રહેલ દોષ પ્રકટ કરે છે–ચારું ઇત્યાદિ. સર્વજ્ઞ તીર્થકરેએ જીના પૂર્વોક્ત છ નિકાય કહ્યા છે. કેવળજ્ઞાન રૂપી પ્રકાશ વડે તેમણે પૃથ્વીકાય આદિમાં જીવનું અસ્તિત્વ જોયું છે અને સંસારના લોકો સમક્ષ તેમાં જીવ હોવાનું પ્રતિપાદન કર્યું છે. પૃથ્વીકાય આદિ સમસ્ત જીવનિકામાં સાતાને સમજે” આ કથનને ભાવાર્થ એ છે કે કશાગ્ર બુદ્ધિથી એ વાતને વિચાર કરે કે સમસ્ત જીવો સુખની અલિલાષા રાખે છે, કોઈને દુઃખ ગમતું નથી. છ એ છ નિકાયના જીવ સુખ ચાહે છે, તેમને દાખ ગમતું નથી. આ જવનિકાની વિરાધના કરવી તે પિતાના આત્માને જ દંડિત કરવા બરાબર છે. એટલે કે તેમની હિંસા કરવાથી આત્મહિસા પિતાની જ હિંસા) થાય છે અને નરકાદિ ગતિઓમાં જવું પડે છે. નરકાદિ દુર્ગતિઓમાં આત્માને જે દુઃખે ભેગવવા પડે છે, એનું નામ જ આત્માનું દંડિત થયું છે. જે માણસ આ છે કાયના જ માંથી કોઈ પણ કાયના જીવની વિરાધના કરે છે, તેને એજ જીવનકાર્યમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૫૨
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy