________________
અસાતા–વેદનીય કર્મોને વિપાક છે. આ જીવનની સાથે તેને સંબંધ પહેલાથી લાગે છે, આ આજે નવીન તે બંધાયેલ નથી, ત્યારે જે કર્મ બંધાયેલ છે તેને ઉદય આવવાને જ, આ ઉદયમાં અકળામણ અનુભવવી તે કર્મને નવા બંધનું બંધન બાંધવા સમાન છે. સમતાથી તેના ફળને ભોગવવું તે નિર્જરા હેતુ છે, એટલે તેના ઉદયજન્ય દુઃખ પૂર્વમાં પણ મેં ભેવવ્યાં છે અને આગળ પણ વૃદ્ધાવસ્થા આદિમાં પણ દુઃખ મારે ભેગવવું પડશે. અરે ! મારી તો શું ગણત્રી છે દુઃખ એવું સમજીને મને નહીં છોડી દે કે “એ સાધુ છે.” તીર્થકરાદિકને પણ કષ્ટની સંભાવના રહે છે.
ભાવાર્થ—દુઃખના આવવાથી દુઃખિત પ્રાણી પોતાની સામે બીજી વ્યક્તિઓના દુઃખને વિચાર કરે છે તે તેને આગળ આવતાં દુખેને સહન કરવામાં પ્રોત્સાહન મળે છે. આ વાતને ટીકાકારે અહિં પ્રગટ કરેલ છે. તીર્થંકરાદિક જેવા મહાપુરૂષોના તેની સામે તેવી અવસ્થામાં આદર્શ ઉપસ્થિત કરેલ છે જેથી તે દુઃખ સહન કરવામાં ઢીલે--પિ ન બની જાય. ચારિત્રની પ્રાપ્તિ અન્ય કર્મોના ક્ષપમાદિકનું કાર્ય છે અને દુઃખનું આવવું બીજા કર્મોના ઉદયનું કાર્ય છે.
એકના ક્ષયોપશમમાં બીજાનું પણ ક્ષપશમ બની રહે છે” એ તે કેઈ નિયમ નથી, માટે આ ચારિત્રનું આરાધન કરવાવાળાને કષ્ટોને સામને ન કરવું પડે એ માન્યતા કેવી રીતે બંધબેસતી થઈ શકે ? માટે કષ્ટને ભગવતી સમય આત્મામાં સમતાભાવ ધારણ કરે એ શ્રેયસ્કર માર્ગ છે, આત્મગ્લાનિ કરવી એ કર્મબંધનની દઢતાનું કારણ બને છે, જેથી મોક્ષાથી જનનું એ કર્તવ્ય છે કે તે મક્કમ બની તેને સદા સામને કરવામાં કટિબદ્ધ રહે ! કહ્યું પણ છે– स्वकृतपरिताणतानां दुर्नयानां विपाकः, पुनरपि सहनीयो नान्यथा ते विमोक्षः । इति मनसि विचार्य प्राप्तदुखं समस्तं, समपरिणतिभावात्समते संयतैस्तत् ॥११॥इति.
આ પ્રકારનાં દુઃખે આવવાથી સાધુજનને તેને સહન કરવાને તે વિચાર પરમ પવિત્ર છે. તે એવું વિચારી દુઃખોને સહન કરે કે મારા કર્મોની નિર્જરાને આ સુંદરમાં સુંદર અવસર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
७७