SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અને માથાના વાળની કમે કમે જ્યારે પૂર્ણ રચના થઈ જાય છે ત્યારે ગર્ભની પૂર્ણ અવસ્થા પછી જીવ ત્યાંથી બહાર નીકળે છે. શૈશવ–આળપણ ઈત્યાદિ કમથી જ્યારે એની વૃદ્ધિ થવા લાગે છે, આમાં એક સમય એ પણ આવી જાય છે કે જ્યારે તે ધર્મશ્રવણને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે. ધર્મકથા સાંભળવાથી થનાર પુણ્ય અને પાપના સ્વરૂપથી એ સારી રીતે પરિચિત થઈ જાય છે. અને બોધિબીજને પામે છે. બેલિબીજની પ્રાપ્તિ થવાથી એ ગૃહસ્થસ્વભાવથી નિર્ગત બની જાય છે, જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરે છે. કિમે કેમે આચારાંગ ઈત્યાદિ દ્વાદશાંગ ગણિપિટકને અભ્યાસ કરે છે, અથવા એને અભ્યાસ કરવાની ભાવના રાખે છે. આ ભાવનાથી એ પિતાના કરણસત્તરી અને ચરણસત્તરીના પરિણામોની વૃદ્ધિ કરતે રહે છે અને આગળ વધતાં ઉપાધ્યાય, ગીતાથ, પરિહારવિશુદ્ધિક, એકાકીવિહારી, પ્રતિમાધારી અને જનકલ્પી સાધુ સુધીની અવસ્થાને ધારક બની મહામુનિ થઈ જાય છે. ભાવાર્થ–કષાયસહિત હેવાથી જીવ કર્મોને પુદગલ પરમાણુઓનું ગ્રહણ કરે છે આનું નામ બંધ છે. આ બંધદશાથી સમસ્ત સંસારી જીવ પર તંત્ર થઈ રહ્યા છે અને તે તે ગતિને આપનાર કર્મોદયથી તે ઉચ્ચ નીચ આદિ કુળમાં માતા પિતાના રજ અને વીર્યના સંબંધથી ગર્ભાવસ્થાસંપન્ન બની, કમે ક્રમે પિતપોતાના સમયાનુસાર જન્મ લે છે. બાલ્ય આદિ અવસ્થા બાદ ધર્મશ્રવણ ગ્ય અવસ્થાવાળે જ્યારે તે થાય છે ત્યારે ધર્મકથાના શ્રવણથી પુણ્ય પાપના સ્વરૂપને જાણકાર બની બધિબીજની પ્રાપ્તિથી ગ્રહીત ધર્મની સફળતારૂપ જૈનેશ્વરી દીક્ષા ધારણ કરી આચારાંગ આદિ સૂત્રોને અભ્યાસ કરતાં પોતાના ચારિત્રની ઉજવલતાની વૃદ્ધિ કરવામાં સાવધાન રહે છે. જનકલ્પી સાધુની અવસ્થા પર્યન્ત વચ્ચેની જેટલી પણ સાધુઓની અવસ્થાઓ છે એ સહુનું આરાધન કરતાં કરતાં તે મહામુનિઓની કક્ષાએ પહોંચે છે. (સૂ૦૧૩) શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૭૦
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy