SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તેરહવાં સૂત્ર ઔર છાયા. વફ્ટમાણ ધૂતવાદને હૃદયમાં ધારણ શ્રવણ આદિ કરવા માટે શિષ્યને પ્રેરિત કરતાં સૂત્રકાર કહે છે “બયાના મો” ઈત્યાદિ! અષ્ટવિધ કર્મક વિનાશક ધૂતવાદકો સમઝો; સુનો ઈસ સંસારમેં આત્મકત કર્મક પરિણામસ્વરૂપ જીવ ઉચ્ચનીચાદિ કુલોંમેં જન્મ લેતે ૨ ક્રમિક મુનિcકો પ્રાસ કરતે હૈ હે શિષ્ય ! હું જે આઠ પ્રકારના કર્મોના નાશ પછીની વાત તમને કહું છું તમે એને હૃદયમાં ધારણ કરે. જે ધારણ ન થઈ શકે તો એને સાંભળ વાની ઈચ્છા હમેશાં કરતા રહે. સૂત્રમાં બે વખત જે “મો મો” શબ્દને પ્રયોગ થયો છે, આથી સૂત્રકારને એ અભિપ્રાય થાય છે કે જે વિષય આગળ કહેવામાં આવનાર છે તે ખૂબ મુશ્કેલીથી સમજવામાં આવે તેવું છે. આ માટે શિષ્યને ચિત્તને એ વિષય તરફ સાવધાન કરતાં સૂત્રકાર શિષ્ય જનને કહે છે કે હે શિષ્ય ! તમે સાવધાનચિત્તથી આ વિષયને સાંભળજે. જે વ્યગ્રચિત્ત બનશે તો આગળ કાંઈ પણ સમજવામાં નહિ આવે. અહિંથી એ વિષય કહેવો શરૂ થાય છે. આ મનુષ્યલોકમાં બધાં પ્રાણી કમના સંબંધથી પરતંત્ર થઈ રહ્યાં છે. આ જીવ અને કર્મને સંબંધ આજને નથી, પરંતુ અનાદિ કાળને છે. આ સંબંધના કારણથી જીવ કર્મોના વિપાકના ઉદયથી એ એ ગતિની પ્રાપ્તિના કારણભૂત કર્મોને ઉદય આવવાથી ઉઝ ભેગ આદિ વિશિષ્ટ ઉત્તમ કુળોમાં અથવા ચંડાળ વિગેરે નીચ કુળમાં માતા પિતાના શેણિતશુક્ર વગેરેના સંયોગકમથી ઉત્પન્ન થાય છે. ટૂંકમાં ઉત્પત્તિને કેમ આ પ્રકાર છે. સર્વપ્રથમ જીવ માતાના ગર્ભમાં “ઢ” અવસ્થામાં રહે છે, એ પછી કમથી અનેક અવસ્થાએ ધારણ કરી ફરી તે પેશી અવસ્થા પ્રાપ્ત કરે છે. અંગ ઉપાંગે તથા સ્નાયુ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૬૯
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy