SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર—આ આશંકા વ્યાજબી નથી, કેમ કે જ્યાં વિવક્ષિત ધર્મની જ પ્રધાનતા માનવામાં આવે અને બાકીના બીજા ધર્મોને તિરસ્કાર કરવામાં આવે ત્યાં જ એકાન્તતા આવે છે. નવાક્યમાં સંપૂર્ણ એકાન્તપ્રતિપાદકતા નથી. યદ્યપિ નય પિતા દ્વારા ગૃહીત ધમને જ પ્રતિપાદિત કરે છે; પરંતુ એ વસ્તુગત અનેક ધર્મોને તિરસ્કાર કરતા નથી. પરંતુ એની તરફ તે સમભાવ ધારણ કરે છે, આ રીતે નયવાક્યમાં દુર્નયતા–સર્વથા–એકાત–પ્રતિપાદકતા આવતી નથી. શંકા—આ પ્રકારના કથનથી નયવાકયમાં જ્યારે પ્રમાણતા આવે છે તે એને પ્રમાણ વાક્યથી ભિન્ન કેમ માનવું જોઈએ? એને સમાવેશ પ્રમાણવામાં કેમ નથી કરાત? ઉત્તર–શંકા બરાબર નથી, કેમ કે જે રીતે સમુદ્રનું એક ટીપું અસમુદ્ર અને સમુદ્ર બની શકતું નથી, પરંતુ સમુદ્રને એક દેશ કહેવાય છે, એ જ રીતે નયવાકય પણ પ્રમાણને એક દેશ માનવામાં આવેલ છે. એ પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી. આ રીતે જીવાદિક પદાર્થોમાં અને વીતરાગ પ્રતિપા દિત આગમમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી પ્રમાણ ન દ્વારા યથાર્થ પ્રતિપાદકતા જાણી તેને ઉપાદેયકેટિમાં અને મિથ્યાદષ્ટિએના સિદ્ધાંતને હેય કોટિમાં ગણું વીતરાગના માર્ગમાં નિઃશંક બની આચાર્ય સમજાવે તે માર્ગમાં તે યથાર્થ પ્રવૃત્તિશીલ બને છે. સર્વતઃ સર્વાત્મા ’’ આ બે પદને એ પણ અર્થ થાય છે કે આભ્યન્તર અને બાહ્ય રૂપથી તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈ એ મેધાવી મુનિ વીતરાગે કહેલ ઉપદેશરૂપ આગમનો વિચાર કરવાવાળો હોય છે. આ માટે જે વસ્તુ જે દ્રવ્ય-ક્ષેત્રાદિકની અપેક્ષાથી હેય હોય છે એ જ વસ્તુ બીજા દ્રવ્ય-ક્ષેત્રાદિકની અપેક્ષાથી ઉપાદેય પણ બની જાય છે. આ પ્રકારે આ જનશાસનરૂપી લેક, તપ, સંયમ, ગુરૂના ઉપદેશનું પાલન અને પરસમયનું નિરાકરણ કરવામાં સર્વ પ્રકારથી કટિબદ્ધ એવા મુનિ કાચબાની માફક પિતાની ઈન્દ્રિય અને મનનું સંવરણ કરીને સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ–મોક્ષપ્રજનવાળા બને છે. આ પ્રજનનું સાધન જે સંયમ છે તેમાં તેની નિરવદ્ય પ્રવૃત્તિ બને છે, કારણ કે મુક્તિને લાભ કર્મક્ષય વિના થતું નથી. કર્મોને ક્ષય પણ સંયમની આરાધના વગર થતું નથી. સંયમને લાભ થવાથી જ આત્મા પિતાના નિજ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૪૫
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy