________________
તે સ્વયં પિતાની આખેથી દેખે છે, છતાં તે વિષયના લેભથી મમતાના કાંટામાં ફસી પિતાને નાશ કરી રહ્યો છે. માછલી અને વાંદરાની માફક તું બંધનમાં ફસેલે પણ ત્યાંથી બહાર નીકળવા ચાહતે નથી. શું તને ખબર નથી કે તારી પણ એક દિવસ આ દશા થવાની છે. માટે એજ અવસર કલ્યાણ કરવાનો છે. કહ્યું પણ છે –
“ यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा, यावच्चेन्द्रियशक्तिरप्रतिहता वावत्क्षयो नायुषः। आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , प्रोद्दीप्ते भवने च कृपखननं प्रत्युद्यमः कीदृशः?" ॥१॥
હે ભવ્ય ! જ્યાં સુધી આ તારૂં સરીર સારી હાલતમાં છે, તેમાં કઈ પણ રેગે નિવાસ નથી કર્યો, જ્યાં સુધી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઈન્દ્રિયની શક્તિ બની રહી છે, જ્યાં સુધી આયુના દિવસે બાકી છે, ત્યાં સુધી તું આત્મકલ્યાણ કરવાની ચેષ્ટા સારી રીતે કરતે રહે. ઘર બળવા લાગે ત્યારે કુ દવાને શું અર્થ ? મે ૧
આ પૂર્વોક્ત વાતને ધ્યાનમાં રાખીને સૂત્રકાર કહે છે –“પર્વ કાળિg” ઈત્યાદિ. “હે પંડિત !” આ શબ્દના અર્થનું ટીકાકાર-હે મેધાવી!, હે સર્વવિરતિસંપન્ના, હે પરમાર્થજ્ઞ !, આ ત્રણ પદોથી વિવેચન કરે છે–સાર અને અસાર તત્ત્વનું વિવેચન કરવાવાળી બુદ્ધિનું નામ મેધા-પ્રજ્ઞા છે. તેના બળ ઉપર હે પ્રાણી “ઉપાદેય શું વસ્તુ છે. હેય શું છે ” આ વાતને વિચાર કરી શકે છે. આવી પવિત્ર વિચારધારાથી તેના આત્મામાં ભેદવિજ્ઞાન જાગ્રત થાય છે, તેથી તે આ સારી રીતે જાણી લે છે કે-“go દૃ સ્થિ ને વોર્ડ” “હું એકલે છું. મારું આ સંસારમાં કોઈ નથી. આ પર પદાર્થોનો કેવલ મારા આત્માની સાથે સંયોગ સંબંધ છે. તાદમ્ય સંબંધવાળા જ્ઞાનાદિગુણ મારી આત્માની સાથે સદા રહેવાવાળા છે. આ સગી પદાર્થોનું નિયમથી વિયોગ થશે, જેને તાદામ્ય સંબંધ છે તેઓ તે આ આત્માથી ત્રિકાળમાં પણ દૂર થઈ શકતા નથી. જે પિતાને નિજગુણ છે તે અમને ઉપાદેય છે, બાકી હેય છે” આવા પ્રકારની વિશુદ્ધ ભાવનાથી તેના આત્મામાં તે પદાર્થોથી વૈરાગ્યવૃત્તિ ઉત્પન્ન થાય છે. તે વિરાગ્ય વૃત્તિથી આત્મામાં કેઈ અપૂર્વ વિદ્યાસ પેદા થાય છે. તેની મારફતે આત્માથી અનંતાનુબંધી ચેકડીને અને દર્શન મેહનીયની પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ, અગર ઉપશમ થાય છે. આવી પરિસ્થિતિમાં તેને ઉપશમ, ક્ષયેશમ, અને ક્ષાયિક સમકિત પેદા થાય છે. હજુ આત્મામાં ચારિત્રમેહનીય કર્મની સત્તા મેજુદ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૭૩