SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ એક રસના ચતુર્થાંશ ચતુઃસ્થાનક, તૃતીય અશ ત્રિસ્થાનક, અને દ્વિતીય અશ દ્વિસ્થાનક હોય છે. અર્થાત શુભ અને અશુભ–રૂપ પાત તાનાં ફળ દેવાવાળાં પ્રત્યેક કર્મીની તીવ્રતમ અંશની ચતુઃસ્થાનક, તીવ્રતર અંશની ત્રિસ્થાનક અને દ્વિતીય તીવ્ર અંશની દ્વિસ્થાનક અને પ્રથમ મંઢ અંશની એકસ્થાનક સંજ્ઞા છે. પ્રથમ અંશ સ્વાભાવિક છે, તેથી તેને એક સ્થાનક કહે છે. આ વિષયના ખુલાસે બીજા શાસ્ત્રોમાં વિસ્તારથી આપ્યા છે. પ્રશ્ન—આ ત્રણ પ્રકારના પુદ્ગલાના પરસ્પરમાં સંક્રમણ થાય છે કે નહિ ? ઉત્તર—હાં, થાય છે. જેના અધ્યવસાય અહર્નિશ વૃદ્ધિંગત થતો રહે છે એવો સમ્યકૃત્વી જીવ મિથ્યાત્વના દલિયાથી પુદ્ગલપુંજને ખેચીને મિશ્ર અને સમ્યક્ત્વ-પ્રકૃતિના પુદ્દગલ પુંજોમાં એને સ’ક્રમિત કરે છે. મિશ્રપ્રકૃતિના પુદ્દગલાના સંક્રમણ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, એ અને પ્રકૃતિઓમાં થાય છે. પ્રવધ માન પરિણામવાળા સમ્યગ્દષ્ટિ જીવ મિશ્રપ્રકૃતિથી મિશ્ર પુદ્ગલપુંજને ખેંચીને સમ્યક્ત્વ પ્રકૃતિના રૂપમાં, અને મિથ્યાદષ્ટિ જીવ તે જ પુદ્દગલાને મિથ્યાત્મપ્રકૃતિના રૂપમાં પરિણમાવે છે. તથા સમ્યક્ત્વપ્રકૃતિના નલિયાથી પુદ્ગલાને લઇ—લઇને તેમિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વમાં જ તેનું સંક્રમણ કર્યાં કરે છે, મિશ્રમાં નહિ; કારણ કે તેને સમ્યક્ત્વના અંશ પણુ નથી. સમ્યગ્દર્શીનની પ્રાપ્તિ થતાં પણ જેના પરિણામ હીયમાન છે એવા સમ્યદૃષ્ટિ જીવ મિશ્રપ્રકૃતિના પુદ્ગલકુંજોનું અને મિથ્યાત્વપ્રકૃતિના પુદ્ગલપુંજોનુ સમ્યક્ત્લપ્રકૃતિના પુદ્ગલકુંજોમાં સ*મણુ નથી કરતા, કારણ કે એની નજીક ખીજા કોઈ શોધિત પુદ્દગલ નથી કે જેને તે વર્તમાનમાં પ્રાપ્ત સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલાની સમાપ્તિ કાળમાં વેઇન કરી શકે. તેથી તે જીવ જો કે લેમ્પસમ્યકૃત્ય છે તે પણ હીયમાન પિરણામવાળા હોવાથી સમ્યક્ત્વપ્રકૃતિના અંતિમ ગ્રાસનો વેદન કરી પછીથી મિથ્યાત્વમાં જ સંક્રમણ કરે છે, મિથ્યાત્વપુજના જેણે ક્ષય નથી કર્યાં એવા જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં ત્રિપુજી, મિથ્યાત્વના ક્ષય થતાં દ્વિપુંજી, મિથ્યાત્વપુંજ અને મિશ્રપુજના ક્ષય થતાં એકપુંજી ( સમ્યક્ત્વપુંજવાળા ) થાય છે, તથા એક પુંજ– સમ્યક્ત્વપ્રકૃતિના ક્ષય થતાં જ ક્ષાયિકસમ્યક્ત્વી થઈ જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આઠ દૃષ્ટાન્તો છે. (૧) ગિરિનદી પ્રસ્તર, (૨) માર્ગ, (૩) વર, (૪) વસ્ત્ર, (૫) જળ, (૬) કીડી, (૭) પુરૂષ, અને (૮) કદ્રવ એના સ્પષ્ટ અર્થ આ પ્રકારે થાય છે. (૧) પહેલા દૃષ્ટાન્ત યથાપ્રવૃત્તિનામવાળા કરણમાં છે. જેમ પંતથી વહેવાવાળી નદીમાં પત્થરના ટુકડા તેના પ્રવાહના વેગથી અહીં-તહીં ઘસડાઈ જેમ ગાળ થઈ જાય છે, તે પ્રકારે યથાપ્રવૃત્તિકરણના પ્રભાવથી ઉત્કૃષ્ટી શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૮૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy