SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ત સુષ્ય, સત્ય-સંયમમાં ધૈર્ય ધારણ કરે. એ માટે શિષ્યને સંબોધન કરીને કહે છે કે હે શિષ્ય! તમે જે આ કર્મો ઉપર વિજય કરવા માંગતા હો તે– સભ્યો તિઃ સત્ય-સંચમઃ” સત પુરૂષને માટે હિતકારી જે સંયમ છે તેમાં અટલ રહો. ઉપસર્ગ અને પરીષહો આવવા છતાં પણ આ માર્ગથી કઈ વખત પણ વિચલિત ન બને. અથવા સત્ય નામ વીતરાગપ્રણીત આગમનું છે, કારણ કે તેનાથી જ જીવાદિક તત્તના યથાર્થ સ્વરૂપની પ્રરૂપણ થાય છે. ભગવાનના આ આજ્ઞાસ્વરૂપ પ્રવચનમાં કુતર્કને પરિહાર કરી ચિત્તને સ્થિર કરે, કારણ કે આ સંયમમાં અને વીતરાગપ્રણીત આગમમાં સારી રીતે લવલીન ચિત્તવાળા મનુષ્ય હેય અને ઉપાદેયના વિવેકથી નિપુણમતિ બનીને સંપૂર્ણ પાપકર્મો નષ્ટ કરી નાંખે છે. એ સૂત્ર ૬ ! સાતવાઁ સૂત્રકા અવતરણ ઔર સાતવૉ સૂત્રા / અનેક વિષયોં મેં આસક્તચિત્ત સંસારી પુરૂષોં કી ઈચ્છાકી પૂર્તિ નહીં હોતી. એસે પુરૂષ અન્યવધાધિરૂ પાપકર્મો મેં હી નિરત રહતે હૈ . કષાયાદિ પ્રમાદથી યુક્ત પ્રાણી કયા કયા ગુણવાળા થાય છે? તેને માટે કહે છે-“ભાજિત્તે” ઈત્યાદિ. આ સંસારી પુરૂષ નિશ્ચયથી કૃષિ, વાણિજ્ય, સેવા આદિ અનેક કાર્યો કરવામાં વ્યગચિત્તવાળા બની રહે છે. કારણકે સંસારી જીની અભિલાષા સાંસારિક અનેક સુખ પ્રાપ્ત કરવાની તરફ સદા લાગી રહે છે તેથી તે ખેતી, વાણિજ્ય આદિ અનેક પ્રકારના આજીવિકાના ઉપયોગી કાર્યોના સંપાદનમાં રાતદિવસ લાગ્યા રહે છે. માટે સાંસારિક સુખોના અભિલાષી પુરૂષનું મન કઈ એક વિષયમાં એકાગ્ર બનતું નથી. આ ઉપર સૂત્રકાર કહે છે-“સે gિ કૂપિત્ત ”–સ વેતનમ પૂચિતુમ, અર્થાત્ તેની આ પ્રકારની આ ચેષ્ટાઓ શું તેના કેતન=માનસિક અભિલાષા–ની પૂર્તિ કરી શકે છે? કદાપિ નહિ. સૂત્રકારે આ ઠેકાણે કાકુવચનને પ્રગ કરેલ છે. કેતન બે પ્રકારના છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૧૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy