SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા “મુળ” આ શબ્દની છાયા “મુને” એ પણ થાય છે, જેને ભાવ એ છે કે હે સમ્યકત્વદશિ ! તમે સંયમને સારી રીતે ગ્રહણ કરી કર્મ શરીરને પિતાથી પૃથફ કરે, અર્થાત્ એમ સમજે કે આ કર્મશરીર પુદ્ગલ, જડ મુર્તિક છે, અને હું જ્ઞાતા, દ્રષ્ટા, શુદ્ધ જ્ઞાનાદિમય છું. આ શરીરના બગડવામાં મારૂં કાંઈ પણ બગડતું નથી. હું તેનાથી ભિન્ન છું. તેથી તેમાં મમત્વબુદ્ધિ કરવી વ્યર્થ છે. તેના પોષણ માટે જે વસ્તુતત્વના પરિજ્ઞાનમાં કુશળમતિ છે, તે અન્ત પ્રાન્ત, ઠંડા અને રૂક્ષ આહારથી આ કર્મશરીરની ઉચિત સંભાળ કરતાં કરતાં પિતાના સંયમભાવની વૃદ્ધિ કરવામાં સાવધાન રહે છે. એવા મુનિ જ વીર કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગ આવવા છતાં પણ પોતે સંયમમાર્ગમાં રજમાત્ર પણ વિચલીત થતા નથી. જે ઠેકાણે સમતાભાવને પ્રવાહ જ વહે છે ત્યાં આત્મા અત્યંત બલિષ્ટ બને છે. આ વાતનો ખ્યાલ કરીને ટીકાકારે “સત્તરળિો ની બીજી છાયા “માઘરાનાલખી છે. પ્રાંત અને રૂક્ષ, દ્રવ્ય તથા ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યપ્રાંત-સ્વભાવિક રસવર્જિત ઠંડા પુરાણા કુલત્થ આદિ, તથા પ્રમાણમાં ડું. ભાવપ્રાન્ત-દ્વેષરહિત–દેષરહિત, દ્રવ્યરૂક્ષ–ઘી આદિ રસ વર્જિત, અને ભાવરૂક્ષ-રાગરહિત અંગારેષવર્જિત આહાર, મુની આવા પ્રકારને આહાર કરે છે. આવા પ્રકારના આહારને પિતાના ઉપગમાં લાવવાવાળા અણગારકર્મશરીરને ક્ષીણ કરીને “વત્ત.” સંસારરૂપી ભાવ ઓઘને “દેખા હે” આ વાક્ય અનુસાર પારકરવાવાળા થઈ જાય છે, જો કે સંસારરૂપી સમુદ્રને હજુ તેમણે ઓળંગેલ નથી પરંતુ ઓળંગવારૂપ કિયા હજુ તેમની ચાલુ છે. ઓળંગવા માટે સન્મુખ થતાં જાય છે. ભવિષ્યમાં તેને પાર કરશે તે પણ સૂત્રમાં “તિomતી ” જે આ ભૂત કૃદંતને ઉપયોગ કર્યો છે તે “શિયમાdi ” આ વાક્ય અનુસાર કરેલું સમજવું જોઈએ. જેમ કેઈ કાર્યની સમાપ્તિ હજુ થયેલ નથી પણ સમામિના માર્ગ ઉપર છે અને ભવિષ્યમાં સમાપ્ત કરશે, પણ વ્યવહારમાં તે “થઈ ગયેલ છે” એમ કહેવામાં આવે છે, તે પ્રકારે આ ઠેકાણે પણ તેવું સમજીને “તી.” આ પદને ઉપયોગ કરવામાં આવેલ છે. જે ઘન્તર બને છે તે બાહ્ય અને આત્યંતરમાં પરપદાર્થોથી મમત્વરહિત બને છે, અને વિષય કષાયેના સંગથી રહિત બની મુનિરૂપથી પ્રસિદ્ધ કોટિમાં આવે છે. “ત્તિ ત્રથીfમ” આ પદને ભાવાર્થ પહેલાં લખાઈ ચૂકેલ છે. સૂત્ર ૬ છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૭૭
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy