SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્યક-તીર્થકર ગણધર આદિ નરકાદિ ગતિએ ભાગી નહીં હોતે હૈ, બાલ અજ્ઞાની જીવ તો નરક આદિ ગતિ કે ભાગી હી નિરન્તર હોતે રહતે હૈ-- | ઇસકા પ્રતિપાદન ઔર ઉદેશ- સમાપ્તિ . એ ચતુરિન્દ્રિયજાતીય છે, ઈત્યાદિ વ્યવહાર થાય જ છે. ઉદ્દેશ શબ્દની વ્યુત્પત્યર્થ “ફિર ત ડા-નચિ , નરવ્યવહાર ન પાવર” આ નારકી છે અર્થાત્ એ નરકાયયવિશિષ્ટ જીવ છે, ઈત્યાદિ વ્યવહારને જ ઉદ્દેશ કહ્યો છે. આ ઉદ્દેશને અભાવ પૂર્વોક્ત સંસારી જીવનમાં આવતા નથી, માટે “કા પ્ર શ્ય નાહિત” એ કેમ કહેવામાં આવેલ છે? ઉત્તર–આ જગ્યાએ પહેલાં એ કહેવામાં આવેલ છે કે મિથ્યાષ્ટિ જીવ પરિગ્રહમાં આસક્ત બની ષટુકાય જીના ઉપમર્દન કરવાવાળા હોવાથી જ્ઞાનાવરણાદિક કર્મોને બંધ કરી નરકનિદાદિ ગતિના અનંત દુઃખના ભક્તા બને છે, પરંતુ જે પરિગ્રહમાં આસક્ત નથી તે પકાય એના રક્ષક હોવાથી કર્મોના બંધ કરવાવાળા નથી બનતા, અને કમશઃ કેવળજ્ઞાનને મેળવી મુકિતને પ્રાપ્ત કરી લે છે. એવા જીવ જ અહીં પશ્યક શબ્દથી ગ્રહણ કરેલ છે. તે સાક્ષાત્ તિર્થંકર ગણધરાદિ દેવ છે. જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત નથી કરી લેતાં ત્યાં સુધી નામકર્મની ગેડી પ્રકૃતિને સદ્ભાવ હોવાથી તેમાં પણ મનુષ્યપર્યાયવિશિષ્ટ આદિને વ્યવહાર થાય છે, પરંતુ ભવિષ્યમાં તે પ્રકારને વ્યવહાર તેમાં સર્વથા નહિ બનવાવાળો છે. આ ભવિષ્યત્વજ્ઞાપનનયની અપેક્ષાથી તે જ એ પણ “રજી ૩ નાસ્તિ ” પડ્યેકને ઉદ્દેશ નથી, એ કથન સુસંગત સમજવું જોઈએ. પ્રશ્ન કેવી રીતે જાણવામાં આવે કે તેમાં આગળ સમસ્ત અવશિષ્ટ નામકર્મની પ્રકૃતિ સર્વથા ક્ષય થઈ જવાવાળી છે? પ્રત્યક્ષથી તે એ વાત જ્ઞાત થઈ શકતી નથી, કારણ કે પ્રત્યક્ષ તો વર્તમાન સંબંધી પદાર્થને જ ગ્રહણ કરે છે. તેવા પ્રકારની પર્યાયસંબંધી વર્તમાન તો છે નહિ. અનુમાનથી પણ આ વિષયને જાણી શકાતો નથી, કારણ કે તદવિનાભાવી કઈ પણ એ હેતુ નથી જે આ વાતને અનુમાપક હોય. જેના વિના જે ન હોય તેને અવિનાભાવી કહે છે. ઉત્તર—એ તે અમે પણ માનીએ છીએ કે-ચક્ષુરાદિઇન્દ્રિયજન્ય જ્ઞાનરૂપ પ્રત્યક્ષ (સાંવ્યવહારિક પ્રત્યક્ષ) આ પ્રકારની અવસ્થાને જાણી શકતા નથી, પરંતુ અનુમાન પ્રમાણથી આ વાતની સિદ્ધિ થાય છે કે–અવશિષ્ટ નામકર્મની પ્રકૃતિઓને ત્યાં સર્વથા ક્ષય થશે. એમ કેમ કહેવાય કે તદવિનાભાવી હેતુ ત્યાં નથી. “વર્ધશત્તાન્ત” અર્થાત્ “તે સર્વજ્ઞ છે” એજ તદવિનાભાવી હેતુ છે, જેવી રીતે ધુમાડે આગને અવિનાભાવી હેતુ છે, તેવી રીતે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૨૭
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy