SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહ વિચાર (૯) પ્રહ-વિચાર દીક્ષા લગ્નમાં શનૈશ્ચર મધ્યમ બળવાળે ગુરૂ બલશાળી અને શુક બલાહીન હોય તે દીક્ષા આપવી જોઈએ, બીજા, પાંચમા, છઠા, સાતમા અને અગિઆરમાં સ્થાનમાં શનિ મધ્યમ બળવાળો હોય છે, ત્રિકેણમાં કેન્દ્રમાં અને અગિઆરમાં સ્થાનમાં રહેલે ગુરુ (બૃહસ્પતિ) બળશાલી સમજવામાં આવે છે. ત્રીજ, છઠા, નવમે અને અગિઆરમા સ્થાનમાં સ્થિત શુક્ર નિર્બલ હોય છે, તેથી કરી શુક્ર અસ્ત હોય તે પણ દીક્ષા ગ્રહણ કરવી તે ઉત્તમ માનવામાં આવ્યું છે. એ કેઈ આચાર્યને મત છે. ચંદ્રમાથી તથા લગ્નથી સાતમા સ્થાનમાં સૂર્ય, મંગલ શુક હોય તો ત્યાજ્ય છે. અથવા એ ત્રણેયને સંગમ હોય તે દીક્ષા લેનાર પ્રતિપાતી (પડિવાઈ) થઈ જાય છે, અથવા એ ત્રણમાંથી બે અથવા કોઈ પણ એક ત્યાં હોય તે દીક્ષા લેવાવાળો કુશીલ અને ક્રોધ આદિ દુર્ગને ધારણ કરનાર બને છે, અથવા ચન્દ્ર તથા લગ્નથી સાતમું સ્થાન ખાલી હોય અથવા ચંદ્રમા બીજા ગ્રહથી વર્જિત હોય તે દીક્ષા શુભ સમજવી જોઈએ, અથવા ગુરૂ અને બુધમાંથી કોઈ પણ એકની સાથે ચંદ્રને સંગમ હોય તે શુભ છે. શીધ્ર પ્રવજ્યા સમય નિરૂપણ (૧૦) તુરત દીક્ષા આપવાનો સમય (૨) સિદ્ધછાયાલગ્નશુભ તિથિ, વાર, નક્ષત્ર અને લગ્ન આદિના અભાવમાં તુરત કરવા ચગ્ય કાર્યોમાં સિદ્ધ છાયા લગ્ન જ ગ્રહણ કરવા ચોગ્ય છે. સમતલ ભૂમિ ઉપર પિતાના શરીરની છાયા, સોમવાર શુક્રવાર અને શનિવારના દિવસે સાડા આઠ પગ પ્રમાણ હોય, મંગળવારના દિવસે નવ પગ પ્રમાણ હોય, બુધવારે આઠ પગ પ્રમાણુ, રવિવારે અગિઆર પગ, ગુરૂવારે સાત પગલાં છાયા હોય તે તેને સિદ્ધ છાયાલગ્ન કહે છે. આ લગ્નમાં દીક્ષા આદિ શુભ કાર્ય કરી શકાય છે. આ સિદ્ધછાયાલગ્ન પ્રાપ્ત હોય તે તિથિ, વાર, નક્ષત્ર, ભદ્રા અને લગ્ન આદિને વિચાર કરવાની આવશ્યકતા નથી. કહ્યું પણ છે – શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૧૮
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy