SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિશરીર પણ અશાશ્વત છે-તેનું પણ પ્રતિક્ષણં મરણ થતું રહે છે. મનુષ્ય શરીર ઈટાનિષ્ટ આહાર આદિથી વધતું ઘટતું રહે છે તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ અનુકૂલ જલ–વાયુથી વધે છે અને પ્રતિકૂળ જલવાયુથી ઘટે છે. જેમ મનુષ્ય શરીરમાં નાના પ્રકારનું પરિણમન થાય છે, વિવિધ બિમારીઓથી પેટનું વધવું, પાંડુરોગ, કૃશતા (દુબલાપણું) આદિ, તથા રસાયન અને ઘતઆદિના સેવનથી વિશિષ્ટરૂપ અને બલવૃદ્ધિ થાય છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પ્રકારના પરિણમનવાળું છે, રોગ થતાં વનસ્પતિના પાંદડાં, ફેલ, ફલ આદિ જૂદીજ જાતનાં દેખાય છે, વિશિષ્ટ પ્રકારના દોહદ દેવાથી કઈ-કઈ વખત તેમાં ઉપચય થાય છે, એ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પરિણમનવાળું છે. જનસ્વભાવ આદિ ધર્મોને સમૂહ સચેતન મનુષ્ય શરીરમાં અથવા ત્રસજીવના શરીરમાં જોવામાં આવે છે, તેજ પ્રમાણે વનસ્પતિના શરીરમાં પણ જોવામાં આવે છે. એજ માટે વનસ્પતિકાય સચેતન છે, એ વાત સંદેહરહિત સમજી લેવી જોઈએ. તે ૮ છે. ઉપસંહાર એ પ્રમાણે વનસ્પતિકાયની સચિત્તતા જાણીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રણ કરણ અને ત્રણ વેગથી વનસ્પતિકાયને સમારંભ ત્યજ જોઈએ. એ અભિપ્રાયથી કહે છે-“લ્ય સહ્યું. ” ઈત્યાદિ. મૂલાઈ–વનસ્પતિકાયમાં શસ્ત્રને આરંભ કરવાવાળાને આ આરંભ જાણવામાં નથી. (અને) વનસ્પતિકાયમાં શસ્ત્રને આરંભ નહિ કરવાવાળાને આ આરંભ જાણવામાં છે. તેને જાણીને બુદ્ધિમાન પુરૂષ પતે વનસ્પતિશાસ્ત્રને આરંભ કરતા નથી. બીજાની પાસે વનસ્પતિને આરંભ કરાવતા નથી. અને વનસ્પતિશાસ્ત્રને આરંભ કરવાવાળા બીજાને અનુમાન કરતા નથી. જે વનસ્પતિશાસ્ત્રના સમારંભના જાણકાર છે, તેજ મુનિ છે, તેજ પરિજ્ઞાતકર્મા છે. એ પ્રમાણે હું કહું છું. મેં સૂવે છે ટીકાથ-વનસ્પતિકાયના વિષયમાં પૂર્વોક્ત પ્રકારથી શસ્ત્રને ઉપયોગ કરવાવાળાને પૂર્વોકત (આગળ કહેલા) ત્રણ કરણ-ત્રણ વેગથી થવાવાળી વનસ્પતિની હિંસારુપ સાવદ્ય વ્યાપાર અજ્ઞાત હોય છે, અર્થાત તેને જાણવામાં નથી કે આ વ્યાપારથી કમરને બંધ થાય છે. - જે વનસ્પતિકાયના વિષયણાં પૂર્વોકત સાવદ્ય વ્યાપારના જ્ઞાતા હોય છે. તે જ્ઞપરિજ્ઞાથી તેને જાણે છે. અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગ કરી દે છે. જ્ઞપરિક્ષાની પછીજ પ્રત્યાખ્યાનપરિજ્ઞા કેવા પ્રકારે હેય છે. તે બતાવે છે શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૫૧
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy