SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મન, વચન અને કાયગથી સહિત જીવ સદાય ક્રિયારૂપ પરિણતિથી કંપન, વિવિધ કમ્પન, એક સ્થાનથી બીજા સ્થાન પર ગમન, કિંચિત્ ચાલવું, સર્વ દિશામાં ગમન કરવું, પૃથ્વી આદિને શુધ્ધ કરવું, બલાત્કારથી પ્રેરિત કરવું, ઉપર ઉઠાવવું, નીચે કરવું, સંકેચાવું, ફેલાવું, ઈત્યાદિ પરિણામને પ્રાપ્ત થાય છે. આ પરિણામના કારણે જીવને પૃથ્વીકાય આદિના અને ઉપદ્રવ કરવાથી, ઘાતને સં૫૯૫ કરવાથી, પરિતાપ પહોંચાડવાથી, મૃત્યુરૂપ દુખ પહોંચાડવાથી, શેકની અધિકતાથી થવાવાળી શરીરની જીર્ણતા પહોંચાડવાથી, આંસુ પડાવવાથી, શરીરમાં પીડા ઉત્પન્ન કરવાથી, ગ્લાનિ ઉત્પન્ન કરવાથી સમસ્તકર્મોનો ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થતું નથી. તાત્પર્ય એ છે કે – આ પ્રમાણે જીવને ચારગતિના દુખેથી પરિપૂર્ણ સંસારરૂપી વિકટ અટવી (વન)માં ભ્રમણ કરવાને અંત આવતું નથી. ક્રિયાના પચીસ ભેદ સ્થાનાંગ સૂત્રમાં કહ્યા છે. (સ્થા. ૨-૬-૧. સ્થા. ૩-૩) પ્રાણાતિપાત ક્રિયા પ્રાણાતિપાત કેટલી ક્રિયાઓથી થાય છે? પ્રાણાતિપાત કરનાર જીવ જ્ઞાનાવરણીય આદિ સાત અથવા આઠ કર્મોને બંધ કરે છે. આયુને બંધ હોય તે આઠ કર્મોન–અન્યથા સાત કર્મોને બંધ કરે છે. જીવ કેટલી ક્રિયાઓથી પ્રાણાતિપાત કરી શકે છે? તેને ઉત્તર એ છે કે–કદાચિત્ ત્રણ ક્રિયાઓથી, કદાચિત્ ચાર ક્રિયાઓથી; કદાચિત્ પાંચ ક્રિયાઓથી. કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયાઓવાળા થઈને જીવ કર્મબંધ કરે છે, હાથ-પગ આદિને હલાવવું–ફેરવવું વગેરે વાંચશી ક્રિયા છે. તલવાર વગેરેને તીક્ષણ કરવી વિગેરે આધિકાીિ ક્રિયા છે એને મારીશ' આ પ્રકારને મનમાં અશુભ વિચાર કરે તે પ્રાષિી ક્રિયા છે. પ્રાણાતિપાત કરવાવાળા જીવ ચાર ક્રિયાવાળા હોય છે-કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી, આ ચાર ક્રિયાઓ તેને લાગે છે. તલવાર આદિને આઘાત કરીને પીડા પહોંચાડવી તે પરિતાની ક્રિયા છે. જ્યારે પ્રાણાતિપાત કિયા પણ જીવ કરી નાંખે છે ત્યારે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. કેઈ પ્રાણીને જીવનથી વિયુક્ત (જ) કરી દેવું તે કાાતિજાતિ કિયા છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૧૫૭
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy