________________ લેડમાં) માં જાયેલી વિશ્વ પરિષદમાં ભાગલેવાનું નિમંત્રણ મળ્યું ત્યારે નાદુરસ્ત તબિયતના કારણે તેમનાથી નિમંત્રણનો સ્વીકાર કરી શકાય નહિ. નાદુરસ્ત તબિયત હોવાને કારણે પણ સ્થાનિક પ્રવૃત્તિઓ તદન બંધ કરી શકયા નહિ 1969 માં તેમને “આંધ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પદે ચૂંટવામાં આવ્યા. એ સ્થાને તેમણે બે વરસ સુધી કામગીરી બજાવી. તે દરમ્યાન વ્યાપારી આલમની વિવિધ સમસ્યાઓને સરકાર સમક્ષ રજુ કરવામાં અદમ્ય ઉત્સાહ દાખવ્યે તેમના સૂચિત ઉકેલેનું રહસ્ય રહેતું વધુ ઉત્પાદન અને આમજનતાની સુખ વૃદ્ધિ. તેમને અભ્યાસ વિષય હતે અર્થશાસ્ત્ર અને કરવેરા. સરકાર તરફથી તેમને "Regional Board of direct taxes" ના સભ્યપદે નિમવામાં આવ્યા હતા. સાથે તેઓ "All India Manufacturer's Association " ના મદ્રાસ બોર્ડની કાર્યવાહક સમીતિમાં તો હતા જ, આમ હૃદય રોગના હુમલા પછી પણ એમણે સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં તે સક્રિયતા દાખવ્યાજ કરી. શરીર પર માઠી અસર તે ચાલુજ રહી ને બે મહિનાની માંદગીને અંતે 1972 ના જુલાઈની રરમી તારીખે તેમને સ્વર્ગવાસ થયે એ માંદગી દરમિયાન પણ તેમની ધાર્મિક પ્રવૃત્તિઓમાં એકદમ વધારે થતા જ રહ્યો. ધર્મના પુસ્તકો અને ચર્ચા ચાલુ રાખી. છેવટ સુધી નવકાર મંત્રનું રટણ ચાલુજ હતું કુટુમ્બી જનોએ વત્સલ પિતા અને વડિલ, જ્ઞાતિજનોએ પ્રભાવશાળી વ્યક્તિત્વ, સમાજે સંવિષ્ઠ કાર્યકર અને દાતા તથા વ્યાપારી આલમે બુદ્ધિમાન કાર્યદક્ષ પ્રતિનીધિ અને માર્ગદર્શક ગુમાવ્યા. હાદિક દુખ સાથે અંતિમ એજ મહેચ્છા કે સ્વર્ગસ્થ આત્મા પરમ સુખને પ્રાપ્ત કરે. મંત્રી શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિ. જીવાભિગમસૂત્ર