________________
૪
“ તીર્થ શાળ શિવાયરે ” એટલે દિવસના અને રાતના ખીજા પહારમાં ધ્યાન ધરવું. વળી કેટલાક ગ્રથામાં પાછલી રાત્રિએ . (રાતના ચોથા પહારમાં ) ધ્યાન કરવાનું સર્વોત્તમ છે એમ જણાવ્યું છે.
દ્રવ્ય, ક્ષેત્ર, અને કાળની શુભાશુભ વિધિ, ઉપર જે જણાવી છે તે અપૂર્ણ જ્ઞાની અને અસ્થિર મનવાળાને માટે છે. પૂર્ણ જ્ઞાની અને અડાલ વૃત્તિથી જેનું ચિત્ત નિર્વિકારી થઇ ગયું છે તેવા મહામાને તે તમામ ક્ષેત્ર, તમામ દ્રવ્ય અને તમામ કાળ ધ્યાન કરવાને માટે અનુકુળજ છે.
66
ચતુર્થ પત્ર— ભાવ ”,
૭. અશુદ્ ભાવ કે અશુભ ભાવનું વર્ણન તે આર્ત્ત અને રૌદ્રધ્યાનમાં બતાવ્યું છે તેજ સમજી લેવું. વિષય, કષાય, આસવ, અશુભ જોગ, અસમાધિ, ચપળતા, વિકળતા, અધીરાઈ, નાસ્તિકપણું, કઠોરતા, રાગ અને દ્વેષના વિચારો વગેરે તમામ અશુભ જોગ ગણાય છે અને તેનાથી ભાવમાં માનતા આવે છે.
૮. ́ શુભ કે શુદ્ધ ભાવ ’—એના ચાર પ્રકાર છે તે એ કેઃ– मैत्रीप्रमोदकारुण्य, माध्यस्थानि नियोजयेत् ॥ ધ્યાનમુવ તું, તદ્ધિ તસ્ય રસાયન ।।શા
યોગશાસ્ત્ર-પ્રકાશ ૪, શ્લાક ૧૧૭,
*ઉત્તરા॰ ૨૬ ગાથા ૨૨.
* सूत्र —–मैत्री करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावना तश्चित्तप्रसादनम्
પાતંજલ યોગદન—૩૩.
અ—સુખી પ્રાણીઓમાં મિત્રતા, દુ:ખીર દયા, ધર્માત્મા ઉપર હરખ, અને પાપી તરફ ઉપેક્ષા એટલે માધ્યસ્થ વૃત્તિ, એ પ્રમાણે વનાથી ચિત્ત પ્રસન્ન રહે છે,
0