________________
પન્ન, તળ, એષધિઓ, સુગધી અત્તર અને તેલ, પલંગ વગેરે શય્યા, આસન, સ્ત્રી પુરૂષના શણગારનાં વસ્ત્રાભૂષણ, કામાસન, રવી વગેરેનાં ચિત્ર, વગેરે દ્રવ્ય હોય ત્યાં ધયાનીનું ચિત્ત સ્થિર રહેવું અને મને નિગ્રહ મુશ્કેલ છે.
૪. “શુભ દ્રવ્ય–શુદ્ધ નિર્જીવ પૃથ્વી જેમકે શિલાપટ; કાષ્ટાસન જેમકે પાટ, બાજોઠ પરાળનું આસન, ઊન, સૂતર વગેરેનાં શુદ્ધ વો; એ ચીજે ઉપર બેસી ધ્યાન કરવાથી પરિણામ સ્થિર રહેવાને ઘણે સંભવ છે. ધ્યાન ઈચ્છનારે છેડે હલકો ચોખા વગેરેને પણ વિશેષ ઘી, મશાલાથી રહિત, રૂતુ પ્રમાણે પ્રકૃતિને અનુકુળ, વખતસર અને વજનસર મેળવેલે, નિર્જીવ, અને નિર્દોષ આહાર કર જોઈએ. તે આહાર ચિત્તને સ્થિર રાખે છે. ' ધ્યાન ઈચ્છનારને મુખ્ય ત્રણ આસન રાખવાનાં છે. (૧) પાસન–એટલે પલાંઠીવાળી અને પગને બંને સાથળો૫ર ચડાવી અને હાથ પેટની પાસે નીચે એક જગ્યાએ ખીલેલા કમળની પડે રાખી શરીર સ્થિર કરવું તે. (૨) પર્યકાસન–એટલે લાંડી વાળી બેસવું તે. (૩) દંડાસન–એટલે ઉભું રહેવું તે. આ ત્રણ સિવાય બીજા વીરાસન, લગડાસન, અંબખુજાસન, ગેહાસન, વગેરે કઠણ લેવાથી આ કાળમાં વધુ વખત સ્થિર રહેવું મુશ્કેલ છે. વળી તર્જની, મધ્યમ અને અનામિકા એ ત્રણ વચલી આંગળીઓના નવ વેઢા થયા તેને બાર વખત ગણવાથી ૧૦૮ થાય છે. ધ્યાનને વખતે એ રીતે ૧૦૮ વાર ઈષ્ટ પ્રભુનું સ્મરણ કરવું એ ઉત્તમ છે. માળા રાખીને સમરણ કરવું એ તે મધ્યમ કે કનિષ્ઠ ગણાય છે. ધ્યાનીએ ધ્યાનમાં સ્થિર થઈ, નાકના
1 કનિષ્ઠિકા (ટચલી આંગળી) અને અંગુઠે એ બેને છોડીને વચલી ત્રણ ગણવી. એનેજ કરવાળા (એટલે સૂત્ર વગેરેની નથી કરેલી એમ) કહે છે.