SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, વાજા ગાજાં વાગતાં હેય, એવી જગ્યામાં વિકાર ઉપજવાને સંભવ છે. જ્યાં યુદ્ધ, મલકુસ્તી, લડાઈ ટંટા, થતા હોય, યુદ્ધની વાતે વંચાતી હોય, પંચાત થતી હોય, ત્યાં કજીઆ તેફીન થવાને સંભવ છે. જ્યાં પ્રવેશ કરવાની ઘ તરફથી મના હોય ત્યાં રહેવાથી ચેરી થવાને, કલેશ થવાને તેમજ અધવચ * જતા રહેવું પડે એ સંભવ છે. જ્યાં જુગાર રમાતે હોય, કેદી રહેતા હોય, સેની, લુહાર, સુતાર, રંગારા વગેરે શિલ્પી કે કારીગર રહેતા હોય ત્યાં ચિત્તને વિગ્રહ થવાને સંભવ છે. જ્યાં નપુંસક, પશુ, દુરાચરણ, ભાંડ, નટ, મદારી, ધૂર્ત વગેરે રહેતા હોય ત્યાં અપ્રતીતિ થવાનો સંભવ છે. આ બધાં અગ્ય સ્થાનક છેડીને દયાન કરવું. ૨ “શુભ ક્ષેત્ર”—જ્યાં વિશેષ મનુષ્ય વગેરે વસ્તીનું આવાગમન ન હોય એવું નિર્જન સ્થાન હય, સમુદ્ર અને નદીના કાંઠા પર ઝાડના ઝુંડમાં, વેલના માંડવામાં, પર્વતની ગુફાઓમાં સ્મશાનના ધાબામાં, સુકાં ઝાડની છેતરમાં, ઘરનાં તથા ગામનાં ખંડેરેમાં, નિર્મળ દેવાલમાં, વગેરે જગ્યાઓમાં જીવની ઉત્પત્તિ ન હેય એટલે જગા નિર્જીવ હોય તે તમામ ધ્યાન કરવા યોગ્ય સ્થાન છે. એવા સ્થાનમાં ધ્યાન કરવાથી ચિત્તની સમાધિ (શાંતિ) રહે છે. દ્વિતીય પત્ર–“ દ્રવ્ય ". ' ૩. “અશુભ દ્રવ્ય – જ્યાં હાડકાં, માંસ, લેહી, ચામડું, ચરબી અને મરેલા જાનવરનાં કલેવર પડેલાં હોય, ખાનપાન, ___ * अफ्फोवमण्डवम्मि इझायइ खवियासवे. અથ–ગર્દભાલી મુનિ અફવ (નાગરવેલ) ના મંડપમાં ધ્યાન ધ્યાતા હતા, .. Gરા અe ૧૮ ગાથા
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy