________________
આ આઠ ગુણે ધરનારને ધ્યાનસિદ્ધિને માટે લાભ થાય છે એવું જાણું શુભધ્યાન ધરવાવાળા મુમુક્ષુ જાએ, આ આઠ ગુણ ધીમે ધીમે અને કમથી અભ્યાસ કરી મેળવવા જોઈએ.
દ્વિતીય ઉપશાખા–“શુભધ્યાન વિધિ”
કઈ પણ કામ વિધિપૂર્વક થાય તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ તરત થાય છે. એ નિયમને લીધે અહીં મેક્ષ કાર્યની સિદ્ધિ કરનારૂં જે ધ્યાન છે તે ધ્યાન ધરવાની વિધિ બતાવે છે.
દેહ. ક્ષેત્ર દ્રવ્ય કાલ ભાવ યહુ, શુભાશુભ વસ્તુ જાન, અશુભ તજ શુભ આચરી, ધ્યા ધ્યાતા ધર્મ ધ્યાન.
અર્થ-૧ ક્ષેત્ર, ૨ દ્રવ્ય, ૩ કાળ, ૪ ભાવ એ ચારના શુભ અને અશુભ ભેદ ગણતાં ૮ ભેદ થાય છે. એ આઠમાંથી ચાર અશુભ ક્ષેત્ર દ્રવ્ય વગેરે છે તેને ત્યાગ કરી બાકીના ચાર શુભ છે તેને જેગ મેળવી ધ્યાનના ધ્યાતાઓ! શુદ્ધ ધર્મધ્યાનને ધ્યા.
ઠયાનમાં મનને સ્થિર કરવા સારૂ ક્ષેત્ર, દ્રવ્ય, કાળ અને ભાવ એ ચારની શુદ્ધિની અતિશય જરૂર છે તેમાં અહીં પ્રથમ ક્ષેત્રની શુદ્ધિ અશુદ્ધિ બતાવે છે.
પ્રથમ પત્ર-ક્ષેત્ર”. ૧. “અશુદ્ધ ક્ષેત્ર”—દુષ્ટ રાજાની જે જગ્યા હોય, અને જ્યાં અધમ, પાખંડી, મ્લેચ્છ તથા કુલિંગી રહેતા હોય એવા ક્ષેત્રમાં રહેવાથી ઉપસર્ગ ઉપજવાને ઘણો સંભવ છે. જ્યાં ફૂલ, ફળ, પત્ર, ધૂપ, દીપ, મદિરા અને માંસ હોય એવા સ્થાનમાં રહેવાથી મન ચંચળ બનવા સંભવ છે. જ્યાં વ્યભિચારી રીપુરૂષ કીડા કરે, ચિત્ર ચિતરેલાં હેય, કામકડાનાં શાસે ભણાતાં