SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, કાંક્ષા એટલે વાંછાને જીતી લીધી છે તથા જિતેંદ્રિય એટલે આંખ કાન વગેરે પાંચે ઈદ્રિઓને, રૂપ શબ્દ રાગ દ્વેષમાંથી બચાવી ધર્મ માર્ગમાં લગાવી છે તેજ ધ્યાન સિદ્ધિને પહોંચશે. () સંવૃત્તાત્મા એટલે જેણે પોતાના અંતર આત્માને સંવૃત્ત કરી હિંસા વગેરે પાંચ આસવથી બચાવી અહિસા વગેરે પાંચ મહાવ્રત સ્વીકાર્ય છે, અને અનાદિથી જીવને સંસારને સંસર્ગ હોવાથી અંતઃકરણની વૃત્તિઓ વિકાર માર્ગમાં દેડી જાય છે તેને જ્ઞાનરૂપી અંતરાત્માની પ્રબળ પ્રેરણાથી બચાવીને જેણે ખાનપાનની લેલુપતા ત્યાગી છે તેજ ધ્યાન સિદ્ધિ મેળવી શકશે. (૮) ધીર એટલે ધ્યાનસ્થ થયા પછી ગમે તે કઠણ પરિસહ પડે કે ઉપસર્ગ આવે, તે પરિણામને જરાપણ ચળવિચળ ન કરે. ધ્યાનમાં પ્રવેશ કર્યા પહેલાં “ગા વોસિરામિ” એટલે હું આ શરીરને સરાવું છું, આ શરીરની મમતા ડું છું, આ શરીર મારું નથી અને હું એને નથી એવું કહી ધ્યાનમાં બેસે છે. હવે જ્યારે શરીર પિતાનું નહિ તે તેનું ભક્ષણ થઈ જાઓ, દહન થાઓ કે કઈ છેદન ભેદન કરે, ગમે તે થાઓ તેની પિતાને શી ફિકર. એ નિશ્ચય હોય ત્યારેજ ધ્યાનની સિદ્ધિ મેળવાય છે. કર્મને ક્ષય કરવા સારૂ ધ્યાન કરીએ છીએ અને કર્મને ક્ષય, વગર ઉપસર્ગ કે વગર પરિસહ કે વગર દુઃખે થ મુશ્કેલ છે. એથી જ્યારે ધ્યાનમાં પગ વગેરે દુઃખ પડે ત્યારે માનવું કે મારાં કર્મને ક્ષય થવાને આ વખત આવ્યે છે અને એવી રીતે દેણું દેતાં પાછું હઠવું નહિ. એવા દ્રઢ નિશ્ચયથી પૈર્ય ધરતાં ધ્યાનસિદ્ધિ થવાય છે. એકદમ લુપતા ઘટાડવી બહુજ મુશ્કેલ હોવાથી થોડી થોડી લાલુપતા ઘટાડવાને સહઅભ્યાસ રાખવો જોઈએ, જેમકે આ વસ્તુ આજ ન ખાધી તે શું થવાનું હતું ? આ વસ્ત્ર ન પહેરીએ તે શું ? આ કામ પ્રણય સુલ લાગશે પણ પછી તે સહજ થઈ જશે. એમ સર્વ વસ્તુ પરથી લાલુપતા ઘટાડવાની બહુજ સહેલી ને સહજ રીત છે, એમ કરતાં કરતાં કોઈ વખત નિર્મળપણું પ્રાપ્ત થઈ જાય છે..
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy