________________
ઝેરની જરાક અસર ઓછી થતાં કંઈક ચૈતન્ય આવે છે, ગાઢ નિદ્રામાં સૂતેલા પુરૂષને કંઈક નિદ્રા ઓછી થતાં કંઈક સમરણમાં રહે છે, પિત્તના રોગથી બેભાન થયેલા પુરૂષને જરાક રેગ દૂર થતાં જેમ કંઈક ચૈતન્ય પ્રગટે છે તે પ્રમાણે નિગેદ વગેરે એકેદ્રિય જીમાં અનંતકાળ ભમતાં ભમતાં અને અકામપણે (પરવશપણે) કષ્ટ સહન કરતાં કરતાં કર્મનું જોર કંઈક નબળું પડે તે તેનાથી બેઇદ્રિય વગેરે ત્રસ જીવેની શ્રેણીમાં અવાય છે. ફરી જે કર્મનું જોર વધી જાય તે નિગોદ વગેરેમાં અવતાર પામે છે. એમ અનંતે વખત આવાગમન કરતાં કરતાં બહુ કષ્ટથી અનંત પુણ્યને વધારે થાય તે પચેંદ્રિય જીવ લગી પહોંચાય છે. પચેંદ્રિય જીવ થયા પછી પણ કૂર કર્મોનું આચરણ કર્યા કરે તે નિગોદ વગેરે એકેદ્રિયમાં ઉત્પન્ન થાય છે અને કદી પંચેંદ્રિયજ થાય તે નરકગતિમાં અસંખ્ય કાળ કાઢવું પડે છે. આ પ્રમાણે અનંત દુઃખ ભેગવતાં ભેગવતાં જેમ જેમ અશુભ કર્મને અંશ ઘટતે જાય અને પુણ્યને ભાગ વધતું જાય તેમ તેમ જીવ “ઘુણાક્ષર”૪ ન્યાય પ્રમાણે મનુષ્યપણું મેળવે છે. તેમાં પણ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂર્ણ ઇંદ્રિય, વગેરે સામગ્રી મળવી ઘણી જ મુશ્કેલ છે. કદાચ પુણ્ય પ્રભાવે તે પણ મળે તે પણ શુભ ધ્યાનની લાયકાત મળવી અતિશય કઠણ છે. જે આત્મામાં અનાદિકાળથી ભવ્ય સિદ્ધિપણને ગુણ છે તે આત્મા જે કષાયરૂપી મેલ કાઢી ચેખે, થાય તે સમકત્વ રૂપી રત્ન મેળવી શકે છે, એ જ પ્રમાણે તે આત્મામાં અનાદિથી સ્વાભાવિક રીતે આ રૌદ્રધ્યાનરૂપ મેલ લાગેલ છે તેનું સ્વરૂપ જાણું તે મેલથી પિતાના આત્માને દૂર કરી
* * ઘણ એ નામનો કીડે લાકડામાં પેદા થઈ તે લાકડાને ખાવાને કાતરે છે એમ કેરી ખાતાં સહેજે સહેજે અમુક અમુક અક્ષરોને આકાર કોતરાઈ જાય છે તે ન્યાય પ્રમાણે નિગોદમાં પડેલા જીવને પરિભ્રમણ કરતાં મનુષ્યપણે પ્રાપ્ત થાય છે. .